________________
૨૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧
રાધા કહે ભૂલી પડી વાટ મેં નવ જાણીજી વનમાં બહેની એકલી અતિશે તાહાં ઊંગાણી
- સાંભળ સજનીજી, આજે વેણી ગૂંથી હસીને, છૂટી કેમ વિખરાણીજી ઉતાવળી એવી કહે શી, જુડી નવ બંધાણીજી
- સાચું બોલોજી ભમરો આવી શિરપર બેઠો ઉડાડતાં શિર છૂટ્ય જી જતન કરીને બાંધતાં, વચ્ચેથી નાડું તૂટ્યું છે
– સાંભળ સજનીજી શૃંગાર પછી શાન્તરસનાં પદો પણ સંખ્યાબંધ મળે છે. એ પદો જ્ઞાનનાં છે, અને જ્ઞાનપ્રાપ્તિ થતાં દિવ્યતત્ત્વની ઝાંખી થઈ હોય, તેવાં અગમનિગમનાં પદો છે. જ્ઞાનની મસ્તી પણ ભક્તિની મસ્તી જેવી જ કાવ્યમય હોય છે. નીચેના પદમાં જ્ઞાન થતાં જે આનંદોર્મિ પ્રગટે છે અને ભવ્યતાએ પહોંચે છે તેની ઝાંખી નરસિંહ નીચેના પદમાં કરાવે છે.
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી જડ ને ચેતન્ય રસ કહી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, તેમની કોર જ્યાં નીસરે તોલે સચ્ચિદાનંદ આનંદકીડા કરે, સોનાના પારણામાંથી ઝૂલે બત્તીવિણ તેલ વિણ સૂત્રવિણ જે બળી અચળ ઝળકે સદા અનલ દીવો
નરસિંહરાવ આ પદ માટે કહે છે, “દુનિયાના સાહિત્યમાં આ કદાચ પ્રથમ સ્થાન ભોગવે એવું કાવ્ય છે. એમાં ઊંચામાં ઊંચા તાત્ત્વિક વિચારોને અજબ શક્તિથી ગૂંથ્યા છે... અહીં કવિએ જ્ઞાન અને ભક્તિનું એકીકરણ કર્યું છે.
અખાના આ પદમાં જ્ઞાનની મસ્તી ઋજુ અને કર્ણરંજક શબ્દોમાં વ્યક્ત થઈ છે : અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું એ પરપંચ પાર મહારાજ, એ પૂરણ બ્રહ્મ સ્તવું એ
શાંતરસના પદોમાં એક તરફ જ્ઞાનના આનંદની કે આશ્ચર્યની ઊર્મિઓ હોય છે, તેવી જ રીતે અન્ય એક લાગણી જત પ્રત્યેના નિર્વેદની છે. એનાં અનેક