________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૨૩
તો ઈશ્વરભક્તિ જોડે છે.
પદોનો રસદષ્ટિએ વિચાર કરતાં મધ્યકાળમાં માધુર્યભક્તિનું પ્રાધાન્ય હોવાથી શૃંગારનાં પદો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. એ પ્રકારનાં પદોમાં રાધા, ગોપીઓ અને શ્રીકૃષ્ણ તથા શિવ અને ભીલડી ઇત્યાદિ પૌરાણિક પાત્રોના પ્રણયના ભાવોનું નિરૂપણ થતું –
ચૈતર ચંપો મોરિયો ને મોર્યા દાડમ દ્રાખ કોયલડી ટહુકા કરે, બેઠી આંબલી ડાળ કે આણાં મોકલ ને મોરાર. વૈશાખે વન વેડિયાં. ને તેડી આંબા શાખ રસે ભરેલો વાડકો મને કોણ કહેશે તું ચાખ.
પદમાં શૃંગારનું પ્રાધાન્ય એટલું બધું રહેતું, કે જૈન સાધુઓ અને સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ પણ જીવાત્મા-પરમાત્માનો સંબંધ શૃંગારની પરિભાષામાં નિહાળતા. જૈન કવિ આનંદઘનજી પ્રેમલક્ષણા ભક્તિનો ભાવ વ્યક્ત કરતાં કહે છે
પિયાબીન સુધબુધ ખૂંદી હો વિરહ ભુજંગ નિત્ય સમે મેરી સેજલડી, સૂની હો નિશદિન જોઉ તારી વાટડી ઘેરે આવોને ઢોલા.
મધ્યકાલીન શૃંગારરસનાં પદોમાં પ્રસંગો તથા નિરૂપણરીતિનું પુષ્કળ વૈવિધ્ય રહેતું. દયારામના આ પદમાં પ્રણયજન્ય ઈર્ષાનું રસપ્રદ રીતે નિરૂપણ થયું છેઃ
ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને શું શોર કરે, વાંસલડી, તું તારી જાત વિચારને. તેં એવાં કામણ શા કીધાં, શામળિયે મુખ ચુંબન દીધાં મન વ્રજ વાસીનાં હરી લીધાં - હો વાંસલડી.
ભાલણનું નીચેનું પદ એક લાક્ષણિક દ્રષ્ટાન્ત છે. રાધા કૃષ્ણની જોડે રજની રમી આવી છે. રસ્તામાં એની સખી મળે છે. જે એને સાચી વાત પૂછતાં રાધા ઉડાઉ જવાબ આપે છે –
કહેને કામિની તું કહાં સાસ ભરાણી પરસેવો એમ કહાં વળ્યો, તારી ભમર બહુ ભીંજાણીજી
– સાચું બોલોજી,