________________
૩૩૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ-૧
પાણીડાં હું શી રીતે જાઉં? મને રોકે રે ઠગારો પેલો કહાન” કાનુડે ખેંચ્યાં અમારાં ચીર જળ જમુના જાતાં મારગે પાલવ રહ્યો મારો તાણીને “જળ જમુના ભરવાને ગ્યાં'તાં ત્યાં પાલવ પકડી મન લીધાં પ્રીત કરીને પાલવ પકડો વહાલા પ્રેમની કટારી અને મારી વૃન્દાવનને મારગ જાતાં હાં રે મારો પાલવડો મા તાણ' મારી બાહ્ય રહ્યાની લાજ', પૂરવ જનમની પ્રીત હતી ત્યારે હરિએ ઝાલ્યા હાથે ‘પ્રભુજી મુજ કંઠે રે વળગ્યા પ્રભુજી મુને કંઠે રે વળગ્યા પળ કોરે ન થાઉં “વળગા-ઝૂમી શાને કરો છો? હાર હૈયાનો તૂટે વન થકી રે એક પારધી ધુતારે મને બાણ મારેલાં તનમાં રે
પરમેશ્વરનો આ પ્રેમ જાણે કે કોઈ અણકહ્યું, અણચિંતવ્યું આક્રમણ ન હોય! –ફાન્સિસ થોમ્સને જેમ પરમેશ્વરને "The Hound of Heaven' સ્વર્ગનો શ્વાન કહ્યો છે તેમ પરમેશ્વર જાણે કે કોઈ ચોર, લૂંટારો, ધુતારો, ઠગારો, પારધી–ન હોય એવું પણ મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે.
‘ચિત્તચોર છે તું તો મારા ચિત્તડાનો ચોર રે હરિચરણ ચિત્તચોર' કાનુડે વનમા લૂંટી’ માય રે મોહનાં બાણ ધુતારે મને માર્યા રે મોહનાં બાણ' એ મોરલી શીદ વાય રે ધુતારા વહાલા એ મોરલી શીદ વાય ધુતારા, એ મોરલી શીદ વાય?” કાંકરી મારે ધુતારો કાન કાનો માગ્યો દે, ધુતારો માગ્યો દે પાણીડાં હું શી રીતે જાઉં? મને રોકે રે ઠગારો પેલો કહાની વન થકી રે એક પારધી ધુતારે મને બાણ મારેલાં તનમાં