________________
પરમેશ્વર મનુષ્યને આમ પ્રેમ કરવાનો આરંભ કરે છે પછી એનો અંત જ નથી. પછી પરમેશ્વર અટકતો નથી, જંપતો નથી. ૫૨મેશ્વ૨ એકવાર પ્રેમ છેડે છે, મનુષ્યને છંછેડે છે પછી એને છોડતો નથી. મીરાંનાં કોઈ કોઈ પદમાં એનું સૂચન
છેઃ
અમો જળ જમુના ભરવા ગયાં'તાં વહાલા
કાનુડો પડ્યો મારી કેડે’
પ્રીત કરે તેની પૂંઠ ન મેલે પાસેથી શે નથી ખસતા'
પાછળ પડે તેનો કેડો ન મૂકે,
નાસી શકાય નહીં છૂટી' આવડો જુલમ શો રે કરે છે? મારી પૂંઠે પૂંઠે ફરે છે રે’
પ્રભુજી મુને કંઠે રે વળગ્યા પળ કોરે ન થાઉં’
પરમેશ્વરનો આ પ્રેમ મનુષ્યના આત્માને તો વ્યાપી વળે, પણ માત્ર આત્માને નહીં છેક દેહ લગી, પરમેશ્વરના સ્થૂળ દેહથી મનુષ્યના સ્થૂળ દેહ લગી, આત્માથી દેહુ લગીની સંપૂર્ણતાથી મનુષ્યને વ્યાપી વળે છે. મીરાંનાં કોઈ કોઈ પદમાં એનું સૂચન છે :
શાને મારો મને કાંકરી?”
કાંકરી મારે તારો કા'ન'
લીધાં રે લટકે મારાં મન લીધાં રે લટકે’
લીધું હરી લટકે મારું મન લીધું હરી લટકે'
લટકાળો રે ગિરિધરધારી મને મારી છે પ્રેમકટારી રે’ લટકામાં આવું ને લટકામાં જાઉં, લટકામાં સમજાવું, લટકાળા હિર વરની સાથે લટકાળી કહેવાઉં.' મચકારા મંદિરયે આવ, મકે મોહી રહી છું,
મચકારા મંદિરિયા માંહે મચકે મોહી રહી છું.' ચાળવણીમાં મારાં ચિત્ત ચોરી લીધાં નેણે મોહની નાંખી.’
મીણું ૩૩૧
મુંને મારી રે મુંને મારી નયન કટારી રે’
લાલને લોચનિયે દિલ લીધાં'
આંખલડી વાંકી અલબેલા તારી આંખલડી વાંકી
નેનકમળનો પલકારો રે ભારે તીર માર્યાં તાકી નેણકમળનાં ભલકાં ભારે, એણે માર્યાં તાકી તાકી રે