SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ-૧ થયું હશે. પરમેશ્વરનો પ્રેમ, મીરાં પ્રત્યે મીરાંને પરમેશ્વરનો, પરમેશ્વરના પ્રેમનો અનુભવ થયો એમાં પરમેશ્વરની પહેલ અને પસંદગી છે, પરમેશ્વરે એનો આરંભ કર્યો છે, એમાં પરમેશ્વરની ઇચ્છા છે, એમાં પરમેશ્વરનું કર્તુત્વ છે, આ પ્રેમમાં પરમેશ્વર કર્યા છે અને મીરાં કર્મણિરૂપ છે. આ પ્રેમ મીરાંએ કર્યો ન હતો, આ પ્રેમ મીરાંને થયો હતો. આ પ્રેમ મીરાંએ શોધ્યો ન હતો. આ પ્રેમ મીરાંને જડ્યો હતો. આ પ્રેમ એક મહાન રહસ્યોદ્ઘાટન હતું, એક મહાન અકસ્માત હતો. મીરાંના કોઈ કોઈ પદમાં એનું સૂચન છેઃ હરિએ લગની લગાવી રે ઘેલી કીધી મુને ગોકુળના નાથે' લગાડી પ્રીતલડી મત તોડ ઘેલાં તો અમને હરિએ કીધાં નિર્મળ કીધાં નાથે હાં રે માયા શીદ લગાડી ધુતારે વહાલે? “હાં રે માયા શીદને લગાડી? હાં રે મને લેહ લગાડી રંગરસિયે “અમો જળ જમુના ભરવા ગયાં'તાં વહાલા, કાનુડો પડ્યો મારી કેડે' “ઓ આવે હરિ હસતા, મુજ અબળા એકલી જાણી પીતાંબર કેડે કસતા” એ પ્રભુ પ્રેમે પધારિયા ‘રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે, દાસી જાણીને દર્શન દીધાં.” આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી' રામ રમકડું જડિયું' “રુમઝુમ કરતું મારે મંદિર પધાર્યું પરમેશ્વર જયારે મનુષ્યને આમ પ્રેમ કરે છે ત્યારે એનો પરમેશ્વરને પોતાને કેવો તો આનંદ હોય છે એનું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે : એ પ્રભુ પ્રેમે પધારિયા ‘રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે રુમઝુમ કરતું મારે મંદિર પધાર્યું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy