________________
મીરાં ૩૩૩
પિયુજી અમારો પારધી ભયો રે મેં તો ભઈ હરિણી શિકાર પરમેશ્વરનો આ પ્રેમ જાણે કે મોહ, મોહિની સંમોહન, માયા, મંત્ર, કામણ, ભૂરકી ન હોય અને પરમેશ્વર જાણે કે કોઈ જાદુગર ન હોય એવું મીરાંનાં કોઈકોઈ પદમાં સૂચન છે :
માર્યા છે મોહનાં બાણ વાલીડે મને માર્યા છે મોહનાં બાણ” માર્યા રે મોહનાં બાણ ધુતારે મને માર્યા રે મોહનાં બાણ’ પરણ્યો અમારો પરમ સોહાગી માર્યા છે મોહનાં બાણ’ હાં રે માયા શીદ લગાડી ધુતારે વાલે?’ મુખડાની માયા લાગી રે મોહને મોહન કર્યો કારમાં અતિશે કંથા પહેરીને નેડા કીધા ચાળવણીમાં મારાં ચિત્ત ચોરી લીધાં નેણે મોહની નાંખી ‘રાસ રમાડવાને વનમાં તેડ્યાં મોહિની મંત્ર સુણાવી રે મહામંત્ર સુણાવ્યો મારા કાનમાં રે મંત્ર ભણીને વહાલો મુજ પર નાંખે
વેળાવેળાનાં કામણ કીધાં મોરલીના નાદે ઘેલાં કીધાં મને કાંઈ કાંઈ કામણ કીધાં' કરિયાં કામણ અમને કંઈ કંઈ, કાનુડે અમને “કામણ કીધાં કાનુડે, મારું મન મોહ્યું મારે મન મોહ્યું માવે, દૂજો મારી નજરુંમાં નાવે’ કોણે નાંખી લાલ ભૂરકી રે?” ચાળવણિયામાં વહાલે ચિત્ત હરી લીધાં મોહનલાલે ભૂરકી નાંખી
પરમેશ્વરનો આ પ્રેમ જાણે કે તાંતણો અને દોરી-મૃદુ બંધન–જેવો કોમળ અથવા બાણ, તીર, ભાલો અને કટારી-કઠોર શસ્ત્રો-જેવો ક્રૂર ન હોય એવું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે :
કાચે તે તાંતણે હરિજીએ બાંધી જેમ ખેંચે તેમ તેમની રે, નાખેલ પ્રેમની દોરી ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી બાણે વિધ્યાં છે મારા પ્રાણ' વન થકી રે એક પારધી ધુતારે મને બાણ મારેલાં તનમાં રે'