________________
પુનર્મુદ્રણ વેળાએ....
કેવળ સમર્પણભાવપૂર્વક પ્રગટ કરેલી આ અદ્વિતીય ગ્રંથની પહેલી આવૃત્તિને અનેક દિશાએથી ડો આવકાર મળતાં અમારાં હૈયાંએ અજબ તૃપ્તિનો અનુભવ કર્યો.
એમાંય વળી, અમરેલી ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદે એને શ્રી હરિલાલ દેસાઈ પારિતોષિક આપીને પ્રેમથી પુરસ્કૃત કર્યો ત્યારે એક અદ્વિતીય સંતના સર્વપ્રથમ છતાં અતિીય ગ્રંથના પ્રકાશનનું નિમિત્ત બનવા માટે અમારું હૈયું ગજગજ ફૂલ્યું હતું.
આ અદ્વિતીય ગ્રંથની માગણી સતત ચાલુ રહેતાં એની દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરતાં અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.
આ આવૃત્તિ પણ ઘરઘરમાં પહોંચી જશે ને સ્વજનોને સ્નેહભેટ આપવાના રૂપમાં પ્રેમપૂર્વક વહેંચાતી રહેશે એવી શ્રદ્ધાપૂર્વક, વિશ્વસદભાવ-દિવસ તા. ૨૧-૧૨-'૮૭
૦ સવિચાર પરિવાર