SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫૯) કે ચિંતન વિનાના શ્રવણની ફળશ્રુતિ કોઈ નથી. તો શ્રવણ કરવું કેવી રીતે? સાચા મુમુક્ષુ થઈ, ત્યાગ દ્વારા, પ્રતિકિયારહિત શ્રવણ થાય તો તેવું શ્રવણ ધ્યાન કહેવાય છે. આપણે પ્રતિક્યિા વિના સાંભળી શકતા નથી તેથી ધ્યાનસ્થ પણ થઈ શકતા નથી. (To Listen to anything Without recation is nothing but contemplation) walde all rum 4134 2012 que શ્રવણ થવું જરૂરી છે. પછી જે શ્રવણની સચોટ ધારણા થઈ હોય તેના ઉપર મનન આવશ્યક છે. જેના ઉપર મનન થયું હોય તેનું જ નિદિધ્યાસન શક્ય બને છે. જે કોઈએ શ્રવણ જ ન કર્યું હોય અને જે તે નિદિધ્યાસનનો કે ધ્યાનનો પ્રયત્ન કરશે તો તેને સરિયામ નિષ્ફળતા જ હાથ લાગશે તેમાં શંકા નથી. “ હેવા”િ “તેથી હું બ્રહ્મ છું” તેવી વૃત્તિથી જ્યારે ચિંતન કરવાનો પ્રયત્ન થાય ત્યારે સતત જાગૃતિ રાખીને વિજાતીય વૃત્તિપ્રવાહને તિરસ્કારવો અને સજાતીય વૃત્તિપ્રવાહને પ્રયત્ન વિના નદી જેમ વહેવા દેવો. હું બ્રહ્મ છું' અર્થાત્ અંતરાત્માથી અભિન્ન છું. તેથી જ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહનો પ્રકાશક છું. માટે જ હું સાક્ષી કે કષ્ટા કહેવાઉં છું. સ્વપ્ન, જાગ્રત, સુપુમિ મારાં દશ્ય છે. તેથી હું કોઈ અવસ્થા નથી. પણ અવસ્થાત્રયનો સાક્ષી છું. મારે લીધે જ ત્રણ અવસ્થામાં પરિવર્તન થાય છે. છતાં હું પરિવર્તનરહિત છું. તે જ કારણથી ફૂટસ્થ કહેવાઉં છું. રૂપાંતર પામનાર દશ્ય-પ્રપંચનું કારણ પંચમહાભૂત છે. તે ન્યાયે સર્વ કાંઈ પંચમહાભૂત જ છે. પંચમહાભૂત માયાથી ઉત્પન્ન થયાં છે. તેથી તે માયાથી અભિન્ન છે. માયા તેના અધિષ્ઠાનથી જુદી નથી. તે અધિષ્ઠાન બ્રહ્મ છે અને હું બ્રહ્માથી અભિન્ન છું.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy