SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫૮) અને સજાતીય વૃત્તિઓનો સહજ, સ્વાભાવિક, સતત, નિરંતર, અખંડ, અસ્મલિત, પ્રયત્ન રાહિત્યવાળો, તેલધારાવત્ પ્રવાહ અને તે જ ધ્યાન અહીં અભિપ્રેત છે. ब्रह्मैवास्मीति सवृत्या निरालम्बतया स्थितिः। ध्यानशब्देन विख्याता परमानन्ददायिनी ॥१२३ ॥ વૃહ gવ (ગરમ) મહ્નિ રૂતિ = હું બ્રહ્મ જ છું એ સવ્રુત્તિથી જે નિપાનખ્વતિય સત્ નૃત્ય =નિરાલંબ સ્થિતિ છે, પરમાનન્દવાયિની સ્થિતિ તે પરમ આનંદ આપનારી સ્થિતિ છે, ધ્યાન બ્લેન વિચાતા તે જ ધ્યાન શબ્દથી ઓળખાય છે. દ્રવિસ્મિ” “હું બ્રહ્મ જ છું” તેવી બ્રહ્માકાર વૃત્તિથી ચિંતન થાય ક્યારે? જ્યારે યોગ્ય શ્રવણ કર્યું હોય ત્યારે. શ્રવાણ કેવી રીતે થાય? સંચચ શ્રવ કુર્યાત” સમ્યફ ન્યાસ અર્થાત્ ત્યાગ કર્યા પછી જ શ્રવણમાં ચિત્ત ચોંટી શકે. આજ કાલ શ્રવણનો તો અતિરેક થઈ ગયો છે પણ તે શ્રવણ ભોગ સાથેનું છે, ભોગમય છે, કાર્યમય શ્રવણ છે! શ્રવણ કરતાં કરતાં લીલવા ફોલાય, સ્વેટર ગૂંથાય, રોતાં છોકરાંને દૂધ પિવડાવાય, આવું બધું ડીંડવાણું કથાઓમાં ચાલ્યા જ કરે છે. અને કેટલાંકનું શ્રવણ હતાશાપ્રેરક છે! ઘરના ધમપછાડા અને કકળાટ કરતાં કથા સારી! કેટલાંકની કથા ભયપ્રેરિત છે. આવતા જન્મ થશે શું? પાપથી કઈ રીતે છુટાય? આમ અનેક સંજોગો જે શ્રવણ માટે પ્રેરે છે તે શ્રવણ ધારણા” (રિટેન્શન) વિનાનું છે. અને જે શ્રવાણ ભોગવિલાસ સાથે થાય છે, ત્યાગ વિના સંભળાય છે તે શ્રવણ તો સંત અખાજી કહે છે તેવું છે. કથા સૂણી સૂણી ટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.... ઊંડો કૂવો ને ફાટી બોખ શીખ્યું, સાંભળ્યું સર્વે ફોક! કહ્યું કંઈ ને સાંભળ્યું કશું જ્યમ આંખનું કાજળ ગાલે ઘસ્યું.”વગેરે. શ્રી નરસિંહ મહેતાએ ગાયું કે “અંતે તો હેમનું હેમ હોયે!” અને શ્રોતાઓએ શ્રવણ કર્યું... - “અંતે તો એમનું એમ હોયે” જે શ્રવણ થયા પછી ચિંતન થતું નથી તે શ્રવણ વાંઝણું છે, કારણ
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy