SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૩) સાક્ષી છે. માટે જ તેણે કર્મ કરવાની જરૂર નથી. જે જ્ઞાનીને કર્મની આવશ્યક્તા નથી તો પછી સંતો અને જ્ઞાનીઓ શા માટે ઉપદેશ કરે છે? આવી શંકાના સમાધાન માટે જ કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે “નવ તસ્ય તેના”નાતેને રચના” ારૂ-૧૮મા “આ લોકમાં તે પુરુષને કર્મ કરવાથી કે નહીં કરવાથી કોઈ પણ પ્રયોજન નથી.” આથી જ આ ભૂમિ પર ઉપદેશ કરનારા સંતો પણ થઈ ગયા અને નિવૃત્તિપ્રિય જ્ઞાની પણ થયા જેવા કે દત્તાત્રેય, શુદેવ, વામદેવ વગેરે. આમ જેને જગત સ્વપ્નની જેમ ખોટું દેખાય છે, અનુભવગમ્ય વ્યવહારમાં ઉપયોગી છતાં બાધિત થતું જણાય છે, તેઓ જગતની ભ્રાંતિને સુધારવામાં સમય બરબાદ કરતા નથી. પણ ‘સ્વ’ સ્વરૂપને જાણી, આત્મરૂપી અધિષ્ઠાનમાં, બાહ્ય દેખાતી આરોપ જેવી સૃષ્ટિનો પોતાની અંદર જ લય કરે છે. તે સમજાવતાં સંતશ્રી સાગર જણાવે છે કે “કોઈ ભલો મૂર્જ્યો હતો! વ્રત લીધું એવું નવું કંઈ! જ્ગ રંગું લાલ બધું જ તો, બસ જોઉં યા જીવું નહીં! લાખ્ખો બજેટ બનાવતો! કંઈ ભાવતાલ પૂછાવતો પત્તો ન તોયે લાગતો ! બરબાદ સૌ મહેનત થઈ, ગુરુ જાણભેદુ વચન કહ્યાં, અય મૂર્ખ! જગ રંગાય ના! અજી લાલ ચશ્માં પહેર આ! મૂર્ખા! ઉંમર એળે ગઈ! બધી પૃથ્વી ચર્મ મ્હઢાય ના, જાતે જૂતી પહેરાય હાં! ના ના જહાં બદલાય ના, પણ થાય લય પોતા મહીં!! શી મૂર્ખતા એ ઊંધની! અજી ! હું નહીં તો જ્ન્મ કહીં ?” (દીવાને સાગર) આમ દૃશ્યપ્રપંચ અવિઘાની ઊંઘમાં ઊંઘનારને જ દેખાય છે. અને તે નિદ્રાનો ઢોંગ કરનારને દૃશ્યપ્રપંચ સાચો લાગે છે. પણ વિચારકને સમજાય છે કે જો ‘અહંકાર' ‘હું” જ નથી તો જગત ક્યાં? જે હું જ્ગતનો ભોક્તા સાચો, ા સાચો, તો જ દૃશ્ય અને ભોગ્ય જગત સાચું છે. પણ જ્યાં અહંકાર લય પામે છે ત્યાં જ પ્રલય થાય છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy