________________
(૨૨૨)
“ઉત્તરક્ષળ વાપત : અયમ્ લો : અસપ:’ તેથી ભગવાન શ્રીકૃષ્ણ પણ લોકકલ્યાણની વાત કરે છે. “તોસંપ્રમેવાપિ સંપશ્યન્તુમસિ ।” ।।૨-૨૦૦
“લોકસંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે.” આમ કલ્યાણની પ્રવૃત્તિ સારી છે, સાત્ત્વિક છે. પણ અંતે બાધિત થનારી જ છે તે નિ:સંદેહ છે, માટે જ ભગવાને ગીતામાં તે જ અધ્યાયમાં સ્પષ્ટતા પણ કરી છે કે...
“આત્મત્યેવ ૨ સંતુષ્ટસ્તસ્ય વ્હાય ન વિદ્યુતે ॥ ૩-૧૦ ||
“(જે) આત્મામાં જ સંતોષ પામેલો (હોય) તેને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી.” જેને આત્મજ્ઞાનને અંતે જ્ગત અસત્ જણાય તેના માટે પ્રવૃત્તિ કરવાનું કે નિવૃત્તિ સ્વીકારવાનું કોઈ પણ પ્રયોજન હોતું નથી.
‘“નવ તસ્ય તેનાથી ના તેનેહ વરવના” ારૂ-૬૮મા
જો જ્ગત અસત્ છે, તો કર્મ કરો કે ન કરો કંઈ જ મહત્ત્વનું નથી. તો પછી શા માટે ભગવાને ધર્મની સ્થાપના કરવાની પ્રવૃત્તિ સ્વીકારી અને કહ્યું કે સાધુના પરિત્રાણ માટે ધર્મની સ્થાપના માટે યુગેયુગે મારા સ્વરૂપને પ્રગટ કરીશ.
" परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥४-८॥
આપણે કદી ન ભૂલીએ કે ઈશ્વર કે ભગવાન તો અવતારી પુરુષ છે. અવતાર છે. તે ઇચ્છે ત્યારે, ઇચ્છે ત્યાં, પોતાના અવ્યકત સ્વરૂપને રૂપ આપી શકે. અર્થાત્ પોતે પોતાની માયા દ્વારા પોતાને પ્રગટ કે વ્યક્ત કરી શકે. નિરાકારથી સાકાર અને અનામીથી નામી, અદશ્યથી દશ્ય થઈ શકે અને ધારે ત્યારે અંતર્ધાન પણ થઈ શકે. આમ અવતારીનું અવતરણ વિશિષ્ટ પ્રયોજન માટે જ થાય છે. ખાસ હેતુ માટે જ થાય છે. સામાન્ય જીવની જેમ અતૃપ્ત વાસનાને લીધે કે કર્મનાં ફ્ળો ભોગવવા જન્મ થતો નથી. તેથી યાદ રાખીએ કે સાધુનો ઉદ્ધાર કરવો અર્થાત્ સજજન=સત્ જનનું પરિત્રાણ કરવું તે અવતારીનું કર્મ છે. ધર્મની સ્થાપના કરવી તે તેમનો ધર્મ છે. માટે જ તેમને અવતાર લેવા પડે છે, શરીર બદલવાં પડે છે. જ્યારે સંત કે જ્ઞાની પોતે જ બ્રહ્મ છે. “બ્રહ્મવિદ્ બ્રોવ મતિ” તેથી પોતે સ્વરૂપે અકર્તા, અસંગ, નિ:સંગ, આસકામ, આત્મકામ સર્વનો