________________
(૨૦૨) શોધ વિના તેમને સાંત્વના કે ચેન મળતાં નથી. એટલું જ નહીં, મહ અંશે લોકોને જગતના નિયંતા કે રચયિતામાં રસ નથી, તેની રચનામાં જ રસ છે. રચના રચાઈ ક્યારે, તેનું કારણ કોણ તેવો પ્રશ્ન પૂછી પાછો નવી રચનામાં રોપો થઈ જાય છે અને રચયિતાને ભૂલી જાય છે. લૌકિક અનુભવે પણ સ્પષ્ટ છે કે સામાન્ય માનવીને કિસ્મતમાં રસ છે. કિસ્મતના ઘડવૈયામાં નથી. માટે જ ઉપનિષદોએ પણ ઉત્પત્તિ વિશેની વાતો અને રહસ્યો સમજાવ્યાં અને અધ્યારોપ કર્યો. વિજ્ઞાને પણ ઉત્પત્તિ વિશે અનેક સિદ્ધાંતો આપ્યા છે. શાસ્ત્રસંમત ઉત્પત્તિની વાત અહીં સમજાવવામાં આવી છે.
ब्रह्मणः सर्वभूतानि जायन्ते परमात्मनः।
तस्मादेतानि ब्रह्मैव भवन्तीत्यवधारयेत् ॥ ४९।। પરમાત્માન: ગ્રહણ: = બ્રહ્મમાંથી જ સર્વભૂત (પ્રાણી=પદાર્થ) ઉત્પન્ન થાય સર્વભૂતાનિ નાયને છે. તાત્ તાનિ (સર્વમૂતનિ) બ્રહ્મ પુર્વ મવતિ = તેથી આ પ્રાણી, પદાર્થો
| સર્વ બ્રહ્મરૂપ છે, તિ વધારયેત્ =તેમ જિજ્ઞાસુએ સમજવું જોઈએ. “બ્રહળ: સર્વભૂતાનિ નાય?” બ્રહ્મમાંથી જ સર્વભૂતો ઉત્પન્ન થયાં છે. આ કથનને સમર્થન આપતાં કથન ઉપનિષદમાં પણ છે. જેને ઉત્પત્તિ સમજવામાં રસ છે તેમને તેવું સમજાવવા માટે જ મા શ્રુતિનો આ અધ્યારોપ સ્વીકાર્ય પ્રયત્ન છે. તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે,
“यतो वा इमानि भूतानि जायन्ते। येन जातानि जीवन्ति। यत्प्रयन्त्यभिसंविशन्ति। तद्विजिज्ञासस्व।" ।
“तस्माद्वा एतस्मादात्मन आकाशस्संभूतः आकाशाद्वायु: वायोरग्निः મોરા : મખ્ય પૃથિવી વૃથિવ્યા મોષધયા મોષીખ્યોત્રમ્ અન્નપુરૂષ:” (તૈત્તિરીયોપનિષદ) નિશ્ચય જ સર્વપ્રસિદ્ધ આ પરમાત્માથી જ સૌ પ્રથમ આકાશ ઉત્પન્ન થયું. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી, પાણીથી પૃથ્વી અને પૃથ્વીથી ઔષધિ અને ઔષધિથી અનાજ તથા અત્રથી પુરષ ઉત્પન્ન થયો છે. “આ ઉત્પત્તિનો કમ જે ઉત્પત્તિ થઈ નથી તેને સમજાવવા માટે શ્રુતિએ આપ્યો, જેથી સામાન્ય માનવીના મનની શંકાનું સમાધાન થાય અને વિચારક માટે, મોક્ષાર્થી માટે અધ્યારોપ