SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૩) દ્વારા ભેદ સર્જી તેને નાબૂદ કરવાની તક મળે, ઉત્પત્તિ માટે પરબ્રહ્મ કારણ છે તેવું સમજાવવા માટે મુંડક ઉપનિષદમાં પણ જણાવવામાં આવ્યું "यथोर्णनाभिः सजते गृह्णते च यथा ___ पृथिव्याम् ओषधयः सम्भवन्ति। यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् सम्भवतीह विश्वम् । ७॥ જેવી રીતે કરોળિયો જાળ બનાવે છે ને તેને ગળી જાય છે, જેવી રીતે પૃથ્વીમાં ઔષધિઓ ઉત્પન્ન થાય છે, અને જેવી રીતે જીવતા પુરુષમાં વાળ અને રૂંવાડાં ઊગતાં હોય છે તેવી જ રીતે અવિનાશી પરબ્રહ્મથી આ સૃષ્ટિ અને તેમાં સર્વ કંઈ ઉત્પન્ન થાય છે.” "एतस्मात् जायते प्राणो मन: सर्वेन्द्रियाणि च। खं वायुयॊतिराप: पृथिवी विश्वस्य धारिणी॥३॥ (મુંડકોપનિષદ) “આ પરબ્રહ્મથી જ સુષ્ટિકાળમાં, પ્રાણ, મન, તેજ, જલ અને સર્વ પ્રાણીઓ ધારણ કરનારી પૃથ્વી આ પાંચે ભૂત વગેરે ઉત્પન્ન થયાં છે.” આમ ઉત્પત્તિને સમજાવવા અને અધ્યારોપ કરવા શ્રુતિએ, શાસ્ત્ર, સંતોએ અને ભગવાન શંકરાચાર્યજીએ ત્રણ ભેદ સ્વીકાર્યા છે. (૧)કારણ અને કાર્યનો ભેદ આવો ભેદ સમયમાં છે. કેમ કે કાર્ય ભવિષ્યમાં જન્મે છે, જ્યારે કારણ કાર્યની પૂર્વે અસ્તિત્વમાં હોય છે. આમ પૂર્વે અને પછી સમયમાં જ હોય છે, જ્યારે પરબ્રહ્મ તો સમયથી પર છે. “TRUTH IS FREE FROM TIME" એ સમજાવવા જ પ્રથમ કાર્યકારણનો ભેદ સ્વીકારી પછી કહેવામાં આવશે કે બ્રહ્મ નથી કોઈનું કાર્ય કે નથી કોઈ માટે કારણ, તે તો કાર્યકારણથી મુક્ત છે, વિલક્ષણ છે. "कार्यकारणविलक्षणं स्वयं ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २६१॥ | (વિ.સ્.). આ તો કાર્ય-કારણનો અપવાદ થયો. પણ તે પૂર્વે કાર્ય-કારણનો સ્વીકાર પણ તે જ શ્લોકમાં થયેલો છે: "एकमेव सदनेककारणं कारणांतर निरासकारणम्'
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy