________________
(૨૦૦૧) જગતની ઉત્પત્તિ: અધ્યારોપ અને અપવાદ પૂર્વ શ્લોકની ચર્ચાથી આપણે નિષ્કર્ષ પર આવ્યા કે સર્વ કંઈ બ્રહ્મ જ છે જેની જેની દશ્ય કે અનુભવગમ પ્રતીતિ થાય છે તે સર્વ મિથ્યા
જે બધું જ બ્રહ્મ છે તો mત આવ્યું ક્યાંથી?
એ માનવજાતનો સદીઓથી, યુગોથી ચાલ્યો આવતો પ્રશ્ન છે. આવી શંકાના સમાધાન માટે જ્ઞાની, સંતો, શાસ્ત્રો અને ઉપનિષદોના આર્ષદ્રષ્ટા ઋષિ, મુનિ અને આચાયોએ પોતાના સ્વાનુભવ, યુક્તિ અને શ્રુતિના આધારે એક શિક્ષણ પદ્ધતિ તૈયાર કરી. તે પરંપરાગત જ્ઞાન છે અને તે જ જ્ઞાનની સરિતા આજે પણ આ દેશમાં અખ્ખલિત વહી રહી છે. બ્રહ્મની અખંડિતતા અને એક્તા સમજાવવા જાણીજોઈને જેની ઉત્પત્તિ થઈ નથી તેનું કારણ દર્શાવવામાં આવ્યું, ઉત્પત્તિ બતાવી અને સ્થિતિ અને લયનો સિદ્ધાંત પણ સમજાવવામાં આવ્યો. અને કાર્ય-કારણરહિત બ્રહ્મનું કારણ બનાવવામાં આવ્યું -આને “અધ્યારોપ” કહેવાય છે. કાર્ય-કારણ પૂર્વે-પછી, અવ્યક્ત-વ્યક્ત, કારણ સૂક્ષ્મ-કાર્ય સ્થૂળ; જગત કાર્ય અને બ્રહ્મ કારણ, એવી ઊભી કરેલ ભ્રમણાઓ શિક્ષણ દ્વારા, જેમ ડોક્ટર ઈંજેક્ષન આપીને દવા શરીરમાં મોક્લે તેમ દષ્ટાંતો અને તર્ક દ્વારા શિષ્યના મનમાં મોક્લી ભેદ ઊભો કરવામાં આવે છે. પણ ભેદ ઊભો કરવાનો હેતુ તેની સ્થાપના હરગિજ નથી.- અભેદનાં દર્શન કરાવવા માટે જ ભેદ ઊભો કરાય છે. અધિષ્ઠાનના જ્ઞાન માટે જ આરોપની ભ્રાંતિ સર્જાય છે. અને એક દિવસ ભેદની ભ્રાંતિ દૂર કરવા ગુરુ શિષ્યને કહે છે કે જેની જેની પ્રતીતિ થાય છે, જે જે દશ્ય છે, જે જે વિકારી છે, જેમાં જેમાં અનેકતા -ભેદ અને વૃદ્ધિ છે તે મિશ્રા છે અને અન્ય સત્ય તો માત્ર એક અને અદ્વૈત છે.
આવી શિક્ષણપ્રણાલિકાને “અધ્યારોપ અને અપવાદ” કહેવામાં આવે છે જ્યાં પ્રથમ ભેદની ભ્રાંતિનો સ્વીકાર થાય છે અને પછી તેનો ઈન્કાર કરી સત્યનો સંકેત કરાય છે. જે દ્વૈતનો ઇન્કાર છે - તે જ અપવાદ કહેવાય છે.
આમ જગતની ઉત્પત્તિ વિશે બ્રહ્મને કારણ કહેવામાં આવે છે, કારણ કે મોટા ભાગના લોકો જગતની ઉત્પત્તિમાં રસ ધરાવતા હોય છે. કારણની