SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) આત્મા અને સ્થળ શરીર પૂર્વમીમાંસા અથતિ વેદનો કર્મકાંડનો વિભાગ. શ્રુતિ, સ્મૃતિ, સંતોનો અનુભવ અને યુક્તિથી જે વાત સિદ્ધ કરી છે તેના માટે હવે કર્મકાંડીઓ અર્થાત જેઓ કર્મમાં વિશ્વાસ ધરાવે છે તેમની વાત કરે છે. હિન્દુ ધર્મ સિવાય પણ બીજા ધર્મો કર્મની ફિલસુફી સ્વીકારે છે. અને તે મુજબ પણ કરેલાં કર્મનો બદલો ભોગવવા માટે પણ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડે છે, શરીરને અગ્નિસંસ્કાર થાય, જળસમાધિ કરાય કે દફનાવાય તો પણ એવું કોઈ છે. જે કર્મનાં ફળ ભોગવે છે. શરીરના નાશ પછી પણ પૂર્વના સંસ્કાર મુજબ જન્મ લે છે. આમ જીવાત્મા અને આત્મા શરીરથી ભિન્ન છે તે નિર્વિવાદ હકીકત છે. તેવું જ કર્મકાંડમાં પણ વિધાન છે તેની વાત કરે છે. प्रोक्तोऽपि कर्मकाण्डेन ह्यात्मा देहाद्विलक्षणः। नित्यश्च तत्फलं भुंक्ते देहपातादनन्तरम्॥३८॥ દિ... ... . =અને વર્માડેન મા .... =કર્મકાંડમાં પણ માત્મા લેહા વિક્ષ: નિત્ય: =આત્માને દેહથી વિલક્ષણ અને નિત્ય પ્રોવર: માન્યો છે. ર... ... .. અને ટપાતાતુ અનન્ત =દેહ પડયા પછી પણ તસ્ય કર્મ: પત્ત પુંવરે =જીવાત્માએ કરેલા કર્મનું ફળ જીવ ભોગવે છે. જે દેહમાં વસે છે તે દેહી છે અને તે નિત્ય છે. ગીતાજીમાં કહ્યું "देही नित्यमवध्योऽयं देहे सर्वस्व भारत" હે ભારત, દેહી=આત્મા સર્વના શરીરમાં છે અને તે નિત્ય છે તેમ જ વધ ન કરી શકાય તેવો છે. જે શરીરના નારા સાથે જીવાત્માનો પણ નાશ થાય તો પ્રશ્ન એ ઊભો થાય છે કે સારાં-નરસાં કર્મ ક્યાં છે તેને ભોગવશે કોણ? તેથી સ્પષ્ટ છે કે કર્મનાં ફળ ભોગવવા શરીરના પતન પછી પણ જીવાત્માને યાત્રા કરવી જ પડે છે. અજ્ઞાનમાં જે જીવ છે તે જ શાનમાં આત્મા છે.
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy