________________
(૧૭૪) પણ તે સૂર્યનો જ પ્રકાશ છે. પોતાનો નથી. જે ખરેખર શરીર પોતે જ સ્વયંપ્રકાશવાન, શાનસ્વરૂપ હોય તો..રાત્રે ઘરમાં ચોર આવે છે ત્યારે શરીર કેમ જાણતું નથી? અરે! ઈન્દ્રિય, મન, બુદ્ધિ સૌ છે પણ ઊંધ છે, અને જે પ્રાણ જાગે છે તેને પણ ચોરનું શાન થતું નથી. આમ જે શાતા નથી તે સૌ જડ છે, પરપ્રકાશિત છે.
દીપકને પણ પોતાનો પ્રકાશ નથી. દીવાસળી, રૂ, તેલ, ઑકિસજન વિના તે પ્રકાશ આપી શક્તો નથી.
મના પુ: સ્વયં ચરિવરિ” ““હદારણ્યક શ્રુતિ' આત્મા સ્વય પ્રકાશિત છે, જયારે બીજા બધા પ્રકાશિત છે પણ બીજાના આધારે. આત્માને પ્રકાશવા બીજાના પ્રકાશની જરૂર નથી. અહીં પ્રકાશનો અર્થ છે જ્ઞાનરૂપી પ્રકાશ અમાસની અંધારી રાત્રે પ્રયોગ કરવા રાહ જોવાની જરૂર નથી. જ્યારે જ્યારે આપણે સુમિમાં હોઈએ ત્યારે ત્યાં કોઈ પ્રકાશ નથી. સ્વપ્ન નથી એટલે મન વિરામમાં છે. નવો નિર્ણય થતો નથી તેથી બુદ્ધિ આરામમાં છે.
અર્થાતું નથી ત્યાં સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, મન, બુદ્ધિ, ઈન્દ્રિયો. છતાં કોઈ પ્રકાશે છે, જે જાણે છે કે હું કંઈ જાણતો નથી” “અહમ્ વિષ્ણ નાનાજ તે આત્મા છે. તેને પ્રકાશવા બહારના પ્રકાશની જરૂર નથી.
ઉપરાંત વાદળાંથી આકાશ છવાયેલું હોય, સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ, વીજળી કંઈ ન હોય છતાં આપણે કહીએ છીએ કે “ઘોર અંધારું છે.” તો આ અંધારાનો પ્રકાશક કોણ? કોણે કેવી રીતે શેના દ્વારા જાણું અંધારાને? તે જ આત્મપ્રકાશ કે જે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે. માટે શ્રુતિએ કહ્યું છે કે જ્યારે તે આત્મતત્વ પ્રકાશે છે ત્યારે જ સર્વ કાંઈ પ્રકાશિત થાય છે.
"तमेव भान्तं अनुभाति सर्व
तस्य भासा सर्वमिदं विभाति" તેથી સ્વયંજ્યોતિ આત્મા ડ પરકાશિત દેહ કઈ રીતે હોઈ શકે?