________________
જિનમંદિર,
૩૦૩ મન માફક વર્તનારી હોય અને મન ધરાય એટલી સંપત્તિ હોય; તે પુરુષને આ મર્યલોક સ્વર્ગ સમાન છે. વિવાહના આઠ ભેદ.
અગ્નિ તથા દેવ વગેરેની રૂબરૂ હસ્તમેળાપ કરવો તે વિવાહ કહેવાય છે. તે લોકમાં આઠ પ્રકારનો છે. ૧. આભૂષણ પહેરાવી તે સહિત કન્યાદાન આપવું તે બ્રાહ્મ વિવાહ કહેવાય છે. ૨. ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્યવિવાહ કહેવાય છે. ૩. ગાય, બળદનું જોડું આપીને કન્યાદાન કરવું તે આર્યવિવાહ કહેવાય છે. ૪. યજમાન બ્રાહ્મણને યજ્ઞ દક્ષિણા તરીકે કન્યા આપે તે દેવ વિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે.
પ. માતા-પિતા અથવા બંધુવર્ગ એમને ન ગણતાં અંદરો-અંદર પ્રેમ થતાં કન્યા મનગમતા વરને વરે તે ગાંધર્વવિવાહ કહેવાય છે. ૬. કાંઈ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે તે આસુરીવિવાહ કહેવાય છે. ૭. જબરાઈથી કન્યા હરણ કરવી તે રાક્ષસવિવાહ કહેવાય છે. ૮. સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચવિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી.
જો વહુની તથા વરની આપસમાં પ્રીતિ હોય તો છેલ્લા ચારવિવાહ પણ ધર્મને અનુસરતા જ કહેવાય છે. પવિત્ર સ્ત્રીનો લાભ એ જ વિવાહનું ફળ છે. પવિત્ર સ્ત્રીનો લાભ થાય અને પુરુષ તેનું જો બરાબર રક્ષણ કરે તો તેથી સંતતિ સારી થાય છે, મનમાં હંમેશાં સમાધાન રહે છે, ગૃહકૃત્ય વ્યવસ્થાથી ચાલે છે, કુલીનપણું જળવાઈ રહે છે, આચાર-વિચાર પવિત્ર રહે છે, દેવ, અતિથિ તથા બાંધવ જનના સત્કારનું પુણ્ય થાય છે.
હવે સ્ત્રીનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. સ્ત્રીનું રક્ષણ.
સ્ત્રીને ઘરકામમાં જોડવી, તેના હાથમાં ખરચ માટે માફકસર રકમ રાખવી, તેને સ્વતંત્રતા આપવી નહિ. હંમેશાં માતા સમાન સ્ત્રીઓના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યોગ્ય આચરણ કહ્યું છે તેમાં આ વાતનો વિચાર ખુલ્લી રીતે કહી ગયા છીએ.
વિવાહ વગેરેમાં ખરચ તથા ઉત્સવ વગેરે આપણું કુળ, ધન, લોક વગેરેના ઉચિતપણા ઉપર ધ્યાન દઈ જેટલું કરવું જોઈએ તેટલું જ કરે પણ વધારે ન કરે; કારણ વધુ ખરચ આદિ ધર્મકૃત્યમાં જ કરવા ઉચિત છે. આ રીતે બીજે ઠેકાણે પણ જાણવું. વિવાહ વગેરેને વિષે જેટલું ખરચ થયું હોય તે અનુસાર સ્નાત્ર, મહાપૂજા, મહાનૈવેદ્ય, ચતુર્વિધ સંઘનો સત્કાર વગેરે ધર્મકૃત્ય પણ આદરથી કરવું. સંસારને વધારનાર વિવાહ વગેરે પણ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે.
ચતુર્થદ્વાર યોગ્ય મિત્રો.
મિત્ર સર્વ કામમાં વિશ્વાસ રાખવા યોગ્ય હોવાથી અવસરે મદદ આદિ કરે છે. ગાથામાં આદિ શબ્દ છે તેથી વણિકપુત્ર, મદદ કરનાર નોકર વગેરે પણ ધર્મ, અર્થ તથા કામનાં કારણ