________________
ભાઈઓનું ઉચિત.
૨૦૧ પુરુષો તો જાવજીવ તીર્થની જેમ માને છે.
પશુઓની માતા પુત્રને જીવતો જોઈને ફક્ત સંતોષ માને છે. મધ્યમ પુરુષોની માતા પુત્રની કમાઈથી રાજી થાય છે. ઉત્તમ પુરુષોની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યોથી સંતોષ પામે છે અને લોકોત્તર પુરુષોની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે.
હવે ભાઈભાંડુ સંબંધી ઉચિત આચરણ કહે છે. ભાઈઓનું ઉચિત.
પોતાના સગા ભાઈના સંબંધમાં યોગ્ય આચરણ એ છે કે તેને પોતાની માફક જાણવો, નાના ભાઈને પણ મોટા ભાઈ માફક સર્વ કાર્યમાં બહુમાનવો. મોટા ભાઈ માફક, એમ કહેવાનું કારણ એ છે કે, “નયે પ્રતિા પિતુઃ સમઃ” એટલે મોટા ભાઈ પિતા સમાન છે એમ કહ્યું છે, માટે મોટા ભાઈ માફક એમ કહ્યું. જેમાં લક્ષ્મણ શ્રીરામને પ્રસન્ન રાખતા હતા તેમ સાવકો નાના ભાઈએ પણ મોટા ભાઈની મરજી માફક ચાલવું. એ રીતે જ નાના-મોટા ભાઈઓનાં સ્ત્રી, પુત્ર વગેરે લોકોએ પણ ઉચિત આચરણ ધ્યાનમાં રાખવું.
ભાઈ પોતાના ભાઈને જુદો ભાવ ન દેખાડે, મનમાંનો સારો અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે તથા થોડું પણ ધન છાનું ન રાખે, વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હોંશિયાર થાય તથા ઠગ લોકોથી ઠગાય નહીં. ધન છાનું ન રાખે એટલે મનમાં દગો રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુઃખ પડશે ત્યારે ઉપયોગી થશે તે ખ્યાલથી કાંઈ ધનનો સંગ્રહ કરવો જોઈએ, એમ ધારી જો કાંઈ છૂપું રાખે તો એમાં કાંઈ દોષ નથી.
હવે નઠારી સોબતથી પોતાનો ભાઈ ખરાબ રસ્તે ચડે તો શું કરવું, તે વિષે કહે છે. ભાઈને શિખામણ.
વિનય રહિત થયેલા પોતાના ભાઈને તેના દોસ્તો પાસે સમજાવે, પછી પોતે એકાંતમાં તેને તેના કાકા, મામા, સસરા, સાળા વગેરે લોકો પાસે શીખામણ દેવરાવે, પણ ભાઈનો તિરસ્કાર કરે નહીં. કારણ કે તેમ કરવાથી તે કદાચ બેશરમ થાય અને મર્યાદા મૂકી દે. હૃદયમાં સારો ભાવ હોય તો પણ બહારથી તેને પોતાનું સ્વરૂપ ક્રોધી જેવું દેખાડે અને જ્યારે તે ભાઈ વિનય માર્ગ સ્વીકારે ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે. ઉપર કહેલા ઉપાય કર્યા પછી જો તે ભાઈ ઠેકાણે ન આવે તો “તેનો એ સ્વભાવ જ છે” એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે,
ભાઈની સ્ત્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે બાબતમાં સમાન દૃષ્ટિ રાખવી, એટલે પોતાના સ્ત્રી, પુત્ર વગેરેની માફક તેમની પણ આગતા-સ્વાગતા કરવી. તથા સાવકા ભાઈનાં સ્ત્રી-પુત્ર વગેરેના જ્ઞાન વગેરે સર્વ ઉપચાર તો પોતાના સ્ત્રી-પુત્ર કરતાં પણ વધુ કરવા. કારણ કે સાવકા ભાઈના સંબંધમાં થોડો પણ ભેદ રાખવામાં આવે તો તેમનાં મન બગડે છે અને લોકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પોતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લોકોના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની યોગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કેમ કે