________________
લાખ વર્ષે એક ફેરો આવું અક્રમ વિજ્ઞાન પ્રગટ થાય છે ! જે એક અવતારી બનાવે. એક અવતારમાં મોક્ષ થાય. અહીંથી જ મોક્ષ થઈ ગયેલો હોય. પેલો મોક્ષ તો થાય ત્યારે થાય, આપણને શી ઉતાવળા છે ? નબળાઈઓ જાય, ગૂંચવાડો ઊભો થાય નહીં અને સંસારમાં જીવન શાંતિમય, જનકરાજા જેવું જીવાય. અહીં જનક વિદેહી જેવી દશા થાય અથવા એના કરતા વધારે ઊંચી દશા થાય એની ! જનક વિદેહીને મહીં જરાક ગભરામણ થતી'તી ને, ત્યારે પાછા ગુરુ મહારાજ પાસે જવું પડતું'તું પૂછવા કે આમ કેમ થાય છે ? અને તમારે મને પૂછવા નહીં આવવું પડે પછી. દર્શન કરવા આવવાનું પણ પૂછવા નહીં આવવાનું કે આવું મને થાય છે.
એ તો અમારે આ વાણી બોલ બોલ કરવાનું શાથી ? અમારા શબ્દોથી તમારા બધા રોગ નીકળી જાય મોટા. આ અક્રમ વિજ્ઞાનની વાણી એ આ બધો રોગ કાઢી નાખશે હડહડાટ !
આ અક્રમ વિજ્ઞાન બહુ લોકોને હેલ્પ કરે છે. વર્લ્ડની અજાયબી છે ! હજ તો હજારો વર્ષ પછી તો લોકો બહુ હાઈ લેવલ, સ્ટેજ ઉપર લઈ જશે આ વાતને. હજુ તો લોક સમજી શક્યા નથી આ વેલ્ડિંગ. અને આ અમારું વેલ્ડિંગ બહુ હાઈ ક્વૉલિટી છે. આ વેલ્ડિંગ જુદી જાતનું છે. એક શબ્દથી તો કેટલાય રોગ નીકળી જાય પેલા સામા. માણસના, એવું વેલ્ડિંગ !
પ્રશ્નકર્તા અને બધાને સમજાય એવી, સરળ ને સાદી ભાષામાં.
દાદાશ્રી : હા, સાદી ભાષામાં. એ ભાષા પર કાબૂ નથી. ભાષા ઉપર આધાર રાખતું નથી. વેલ્ડિંગ બહુ ઊંચું અને આ હૃદયગમાં વાણી, તો રાગે પડી જાય. હં, વાણી સરસ હોય, વર્તન સરસ હોય, વિનય સરસ હોય ત્યારે રસ આવે.
આ “આપ્તવાણી' તો બધાને ભાવશે. ભલભલા મરછરાયેલા માણસ હશે તેના મચ્છરા ઊડી જશે.
પ્રશ્નકર્તા : હા, આ નવમી આપ્તવાણી વાંચ્યા પછીથી એ વધારે ખ્યાલ આવ્યો.