SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 78 ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન થાય તથા જ્ઞાનાદિ સંપત્તિ જ આત્માની સ્વકીય સંપત્તિ છે અને એની સાથે બંધાયેલો નાતો જ આત્મા માટે લાભદાયી છે, આ તાત્ત્વિક સમજણ જીવનમાં આવે છે, ત્યારે આપોઆપ ગુણનો પક્ષપાત પેદા થાય છે અને વૃદ્ધિવંત બને છે. પ્રશ્ન : આ ભાવનાના પરિભાવનની શૈલી શું છે ? ઉત્તર : નીચે મુજબ આ ભાવનાનું પરિશીલન કરી શકાય છે. પ્રમોદભાવનામાં પરિશીલનની શૈલી : - એ તીર્થંકર પરમાત્માઓને ધન્ય છે કે, જેઓ “સવિજીવ શાસનરસીની ભાવના ભાવીને, તીર્થંકર પદવી પ્રાપ્ત કરી, જગત ઉપર ધર્મદેશના દ્વારા મહાન ઉપકાર કરે છે. - એ તીર્થંકર પરમાત્માઓને ધન્ય છે કે, જેઓનો “માર્ગદર્શક ગુણ સૌ જીવોની માર્ગપ્રાપ્તિનું કારણ બને છે. તેઓની અનંત કરુણા અને પરાર્થવ્યસનીપણાને પણ ધન્ય છે. - એ તીર્થકરોને ધન્ય છે કે, જેઓનું જીવનકવન અનેક જીવોના તથાભવ્યત્વનો પરિપાક કરવાનું કારણ બને છે. - એ સિદ્ધભગવંતોને ધન્ય છે કે, જેઓએ અનંતગુણોની પ્રાપ્તિ કરી છે અને અવિનાશી સંપદા પ્રાપ્ત કરી છે. - એ આચાર્ય ભગવંતોને ધન્ય છે કે, જેઓ પંચાચારનું સુંદર પાલન કરે છે અને જગતને એનો ઉપદેશ આપે છે તથા શિષ્યવર્ગનો યોગક્ષેમ કરે છે, જૈનશાસનની અપૂર્વ પ્રભાવના અને રક્ષા કરે છે. - એ આચાર્ય ભગવંતોને ધન્ય છે કે, જેઓ પોતાના દ્વેષીઓઈર્ષાળુઓ પ્રત્યે પણ ક્ષમાભાવ ધારણ કરે છે. - એ ઉપાધ્યાય ભગવંતોને ધન્ય છે કે, જેઓ ગચ્છમાં રહેલા સાધુઓને આગમસૂત્રોનું પ્રદાન કરી એમના મોહ અંધકારનો નાશ કરે છે અને પરમ વિનયી બનાવે છે.
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy