SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૩ પ્રમોદભાવના 79 - એ સાધુ ભગવંતોને ધન્ય છે કે, જેઓ પંચ મહાવ્રતોનો ભાર વહન કરે છે, પરિષદો અને ઉપસર્ગો આનંદથી સહન કરે છે, અનેક પ્રકારની તપશ્ચર્યા કરે છે અને બધાને મોક્ષમાર્ગમાં સહાય કરે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ ગિરિકંદરામાં, સ્મશાનમાં, શૂન્યગૃહોમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન રહે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ દસવિધ યતિધર્મનું યથોચિત સેવન કરે છે અને ઉપશમભાવમાં લીન રહે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે, મલિન ગાત્ર રાખે છે, તપથી કાયાનો કસ કાઢે છે અને અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરી તિતિક્ષાભાવનાને કેળવે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ ઉપસર્ગ કરનારને પણ ક્ષમા આપે છે અને ગ્લાન વગેરેની વૈયાવચ્ચ કરે છે. - એ મુનિવરોને ધન્ય છે કે, જેઓ સ્વાધ્યાયાદિ યોગોમાં રત રહે છે અને નિરંતર પરોપકાર કરવા તત્પર રહે છે." - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ દાન-શીલ-તપભાવધર્મનું નિરંતર સેવન કરે છે. - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ નિરંતર પ્રભુના મહોત્સવો રચે છે અને સદ્ગુરુની ભક્તિ કરે છે. - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ શીલ-સદાચારનું પાલન કરે છે અને અણુવ્રતો-નિયમો-અભિગ્રહોને પાળે છે. - એ શ્રાવક-શ્રાવિકાઓને ધન્ય છે કે, જેઓ શ્રાવક જીવનની પ્રતિક્રમણાદિ કરણીઓને ભાવપૂર્વક આરાધે છે અને પૌષધાદિ વ્રતોનું સેવન કરે છે. - એ સમ્યગ્દષ્ટિઓને ધન્ય છે કે, જેઓ દેવ-ગુરુની ઉત્તમ વૈયાવચ્ચ કરે છે અને હૈયામાં ધર્મનો રાગ ધારણ કરે છે. 1. અહીં શ્રીમુનિવરોની સાથે સાધ્વીજી ભગવંતોને પણ ગ્રહણ કરવાના છે.
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy