SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનામૃત-I: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહા રે, જેઠ આચાર આચાર્યનો, ચરણવન સિંચવા મેહ રે, ચે. (17) જેહ વિક્ઝાયનો ગુણ ભલો, સૂત્ર સક્ઝાય પરિણામ રે, સાધુની જે વળી સાધૂતા, મૂલ ઉત્તર ગુણ-ધામ રે, ચે. (18) જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમકિત સદાચાર રે, સમકિત દષ્ટિ સુરનર તણો, તે અનુમોદીએ સાર રે. 2. (19)" - શ્રીસિદ્ધભગવંતોનો “અવિનાશીપણું ગુણ અનુમોદવાનો છે. તેઓને અનંતગુણોની પ્રાપ્તિ થઈ છે તથા આઠકર્મના ક્ષયથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અક્ષયસ્થિતિ, અગુરુલઘુપણું, અરૂપીપણું અને અવ્યાબાધપણું આ આઠ ગુણો ઉત્પન્ન થયા છે. આચાર્ય ભગવંતોના પંચાચારનું પાલન અને ઉપદેશ તથા ભવભીરુતા, ગીતાર્થતા, સંવિગ્રતા આદિ ગુણની અનુમોદના કરવાની છે. ઉપાધ્યાય ભગવંતોના સૂત્રપ્રદાન અને વિનય વગેરે ગુણોની અનુમોદના કરવાની છે. સાધુ ભગવંતોની મૂળ-ઉત્તરગુણની સાધના વગેરેની અનુમોદના કરવાની છે.. શ્રાવક-શ્રાવિકાના દાન-શીલ-તપ-ભાવધર્મ, અણુવ્રતોનું પાલન, તીર્થયાત્રા આદિ સુકૃતોની અનુમોદના કરવાની છે.. સમ્યગ્દષ્ટિ જીવોના સદાચારો તથા ધર્મશ્રદ્ધા-ધર્મરાગ આદિ ગુણોની અનુમોદના કરવાની છે. માર્ગાનુસારી જીવોના જિનવચનાનુસારી દયા-પરોપકારાદિ ગુણોની અનુમોદના કરવાની છે. - અન્યદર્શનના જીવોના ગુણોની અનુમોદના અન્યદર્શનના જીવોના જિનવચનાનુસારી પરોપકાર-દયા આદિ ગુણોની ચિત્તમાં અનુમોદના કરવાની છે. અમૃતવેલની સક્ઝાયમાં કહ્યું છે કે, “અન્યમાં પણ દયાદિક ગુણો, જે જિન-વચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત-બીજ-નિરધાર રે.ચે. (20)" અહીં ઉલ્લેખનીય છે કે, જિનમતના અનુયાયી વર્ગના ગુણોની જેમ
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy