SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ 65 પ્રકરણ-૩ઃ પ્રમોદભાવના अध्यारुह्यात्मशुद्ध्या, सकलशशिकलानिर्मलध्यानधाराમારભુ: પ્રપન્ના, કૃતસુત-તોપાર્જિતાઈજ્યનક્ષ્મીમ્ II તેષાં કર્મક્ષયવૈ-રતનુ-ગુIૌ-નિર્મનાભસ્વમાવૈ, र्गायं गायं पुनीमः, स्तवनपरिणतै-रष्टवर्णास्पदानि / धन्यां मन्ये रसज्ञां, जगति भगवतः, स्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां, वितथजनकथा-कार्यमौखर्यमग्नाम् // 2 // - તે વીતરાગ પરમાત્માઓને ધન્ય છે, કે જેઓએ ક્ષપકશ્રેણીના માર્ગે ગતિ કરીને કર્મોનો ઉપરાગ દૂર કર્યો છે, જેઓ ત્રણ જગતમાં ગંધહસ્તિ સમાન છે. જેમનામાં સહજભાવે પ્રગટેલા જ્ઞાનથી વિરાગભાવ જાગ્રત થયેલો છે. જેઓ પૂર્ણિમાના પૂર્ણચંદ્રની કળા જેવા નિર્મલ ધ્યાનની ધારાએ પોતાની આત્મવિશુદ્ધિથી આરોહણ કરીને તેમજ સેંકડો સુકૃત્યો કરીને, અરિહંતપદની સર્વ વિભૂતિઓ ઉપાર્જન કરીને મોક્ષ પામ્યા છે. તે તીર્થંકર પરમાત્માના કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા અને તેમની સ્તુતિ કરવામાં પરિણત પામેલા તેઓશ્રીના નિર્મલ આત્મસ્વભાવ દ્વારા વારંવાર ગુણગાન કરીને અમે આઠે ઉચ્ચાર સ્થાનોને પવિત્ર કરીએ છીએ. પ્રભુના ગુણોનું ગાન કરનારી જીભ જ રસને જાણનાર હોઈ ધન્ય છે. બાકી નકામી લોકકથાના કાર્યમાં વાચાળતાને સેવનારી જીભને તો કેવળ જડ (રસની અજાણ) માનું . અમૃતવેલની સઝાયમાં શ્રી તીર્થંકર પરમાત્માના સુકૃતોની અનુમોદના કરતાં કહ્યું છે કે, “વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે, તેલ ગુણ તાસ અનુમોદીએ, પુણ્ય-અનુબંધ શુભયોગરે. 2. (16)" - સિદ્ધભગવંતો આદિ પ્રત્યે પ્રમોદભાવ : અમૃતવેલની સક્ઝાયમાં સિદ્ધપરમાત્મા, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુભગવંતો, શ્રાવકો અને સમ્યગ્દષ્ટિના ગુણોની અનુમોદના કરતાં કહ્યું છે કે,
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy