SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી સારા માર્ગે વળે છે. તેના યોગે સાધક કુસંસ્કારો સામે લડવા સમર્થ બને છે.. કુટેવોને ફગાવી દેવા ઉત્સાહિત બને છે. વિષય-કષાયના પ્રવાહને ખાળવા માટે ઉલ્લસિત બને છે.. ગુણસેવન અને પાપવર્જન માટે પ્રયત્નશીલ બને છે.. ખોટા રૂચિ-પક્ષપાતને તોડવા પ્રેરિત થાય છે... સન્માર્ગે જવા અને સ્થિર બનવા દઢમનવાળો બને છે.. - અકલ્યાણમિત્રના સંગથી એક યા બીજી રીતે ઉન્માર્ગે-કુટેવોના રસ્તે, વિષય-કષાયના આવેગને વશ થવાના માર્ગે જવાની અસટ્રેરણા મળે છે. એક તરફ દુનિયાનું વાતાવરણ વિષમ છે અને બીજી બાજુ આત્મામાં અનાદિકાલીન કુસંસ્કારો વિદ્યમાન છે. આ બંનેની હાજરીમાં અકલ્યાણમિત્રોનો સંગ ભળે ત્યારે પાપવાસનાઓ-મિથ્યાત્વની વાસનાઓ ભડકે બળે છે અને તેનાથી આખું ચિત્તતંત્ર-વ્યક્તિત્વ પાપવાસનાઓથી ઘેરાઈ જાય છે અને જીવ એને વશ બની કેટલાયે અનર્થોનો ભાગી બને છે. - જ્યારે કલ્યાણમિત્રનો સંગ એક યા બીજી રીતે સન્માર્ગેસુટેવોના રસ્ત-ધર્મના રસ્તે, ગુણોના માર્ગે જવાની સંભેરણા આપે છે. એ સન્ઝરણા જ સાધકને દુનિયાના વિષમ વાતાવરણ અને અનાદિકાલીન આત્મસ્થ કુસંસ્કારો સામે લડવાનું બળ આપે છે. તેનાથી તે નબળા આલંબનોથી દૂર રહે છે અને શુભ આલંબનોને સેવીને આત્મસ્થ કુસંસ્કારોનું ઉન્મેલન કરી આત્માને સુસંસ્કારથી વાસિત બનાવે છે. ગુણસેન રાજાને એક સમયે અકલ્યાણમિત્રોએ અગ્નિશર્માના ઉત્પીડનના માર્ગે ધકેલીને ખૂબ ખોટા કામો કરાવ્યા અને એનાથી ચીકણા કર્મો બંધાવ્યા. તો એ જ ભવમાં આચાર્ય શ્રી વિજયસેનસૂરિજીએ કલ્યાણમિત્રની ભૂમિકા ભજવીને અનંતા ભાવિકાળને ઉજ્વળ બનાવવાની પ્રેરણાઓનું અમૃતપાન કરાવ્યું. એ અમૃતપાન એવું થયું કે, ક્ષમા અને મૈત્રીભાવ વિકસતા જ ગયા અને પૂર્વે કરેલી ભૂલો તથા બાંધેલ કર્મો એના ઉપર
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy