________________ 36 ભાવનામૃત-1 મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - આચાર સંહિતાઓ આદિ સર્વે એના મૂળસ્વરૂપમાં રહે, એમાં જ વિશ્વનું કલ્યાણ છે. એ જ સાચી વિશ્વમૈત્રી છે. કાલના પ્રભાવે જ્યારે જ્યારે જૈનશાસનના સિદ્ધાંતાદિના મૂળસ્વરૂપને કોઈક ત્રાહિત વ્યક્તિસમુદાય - સંઘ હાનિ પહોંચાડવાનું કામ કરે છે, ત્યારે પ્રભુશાસનના સાચા અનુયાયીઓ એનો વિરોધ કર્યા વિના રહે જ નહીં અને એ જ એમનું ઉત્તરદાયિત્વ છે. જો એવા અવસરે મધ્યસ્થ બનીને મૌન રહે અને વિરોધ ન કરે તો વિરાધક બને છે અને વિરોધ કરે તો સિદ્ધાંતરક્ષાના કર્તવ્યના સેવનથી આરાધક બને છે. યાવત્ તીર્થંકરપણાની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પ્રશ્ન : તમે પૂર્વે જણાવ્યું કે, કલ્યાણમિત્રનો જ સંગ કરવો અને અકલ્યાણમિત્રનો સંગ ન કરવો. તેમાં વાસ્તવિક રીતે કલ્યાણમિત્ર કોને કહેવાય અને અકલ્યામિત્ર કોને કહેવાય ? ઉત્તર : અધ્યાત્મના અર્થી (આત્મકલ્યાણના અથ) જીવે પૂર્વે જણાવ્યા મુજબ કલ્યાણમિત્રનો જ સંગ કરવાનો છે. મૈત્રીભાવનાવિશ્વમૈત્રી-વિશ્વવાત્સલ્ય એ સદ્ભાવના છે. સંગ અને પ્રવૃત્તિ કરવાની આવે ત્યારે શાસ્ત્રીય વચનાનુસાર વિવેકપૂર્વક વર્તવાનું હોય છે. શ્રી ઉપદેશ રહસ્ય ગ્રંથમાં (અધ્યાત્મ-ધ્યાન-યોગના પ્રથમ ઉપાયમાં) કહ્યું છે કે - संबंधो कायव्वो सद्धिं कल्लाणहेउमित्तेहिं / कल्लाणहेतुमित्रैः श्रेयोहेतुस्निग्धलोकैः सह सम्बन्धः कर्त्तव्योऽकल्याणमित्रयोगस्यानर्थहेतुत्वात्, कल्याणमित्राऽयोगे च बीजाधानाद्ययोगान्नियमोऽयम् / અર્થ : કલ્યાણના કારણ એવા મિત્રોની સાથે સંબંધ કરવો. - આપણા આત્માનું કલ્યાણ ઈચ્છતા હોય એવા (કલ્યાણના કારણભૂત) સ્નેહીજનો = મિત્રોની સાથે સંબંધ કરવો જોઈએ. કારણ કે, (અનાદિકાલીન કુવાસનાઓ-કુવૃત્તિઓ - પાપવાસનાઓને ઉત્તેજિત કરે તેવા) અકલ્યાણમિત્રનો યોગ (સંગ) અનર્થનું કારણ છે. તથા