________________ 35 પ્રશ્નોત્તરી - બાલાવબોધઃ તે પરમાર્થે સંવિગ્ન ગીતાર્થ તેને કહિઈ જે શાસ્ત્રને અનુસારે હઠે ન તાણે, અક્ષર શાસ્ત્રના દેખે એટલે પોતાનો કદાગ્રહ મૂકી દીઈ, એવી નીતિ તપગચ્છની ભલી ક0 ઘણી ઉત્તમ છે, એટલે તપગચ્છમાં પંચાંગી પ્રકરણાદિક સુવિહિતના કર્યા ગ્રંથ તે સર્વ પ્રમાણ છે ઈમ જાણીઈ, ઈતિ ભાવઃ જિહાં ક0 જે તપગચ્છ, તેહને વિષે બધા ક0 પંડિતલોક તે સમય સારું ક0 સિદ્ધાંત પ્રમાણે જીત દાખે ક0 વર્તમાનકાલમાં જીત દેખાડે છે. જે તપાગચ્છના નામ અને ઠામ ક0 સ્થાનક તે, કુમતે ક0 કદાગ્રહે, મુધા ક0 ફોકટ, જસ ક0 જેહનાં નહીં ક0 નથી, એતલે નામઠામ સર્વ ગુણનિષ્પન્ન છે. 333 (16-18) - સારાંશઃ સંવિગ્ન ગીતાર્થ પરમાર્થથી તેને કહેવાય કે જે શાસ્ત્ર અનુસાર પોતાનો હઠાગ્રહ-મમત છોડી દે. અર્થાત્ શાસ્ત્રના અક્ષરો જુએ એટલે પોતાનો કદાગ્રહ છોડી દે. તપગચ્છની આ ઉત્તમ નીતિ છે. એટલે જ તપગચ્છમાં પંચાંગી પ્રકરણ આદિ ગ્રંથો પ્રમાણ છે. આ તપગચ્છમાં પંડિતજનો સિદ્ધાંત અનુસાર વર્તમાનકાળનો જીત = સામાચારી = આચરણ દર્શાવે છે. આ તપગચ્છનાં નામ, સ્થાનક વૃથા નથી, પણ ગુણનિષ્પન્ન છે. - શાસ્ત્રનીતિ-તપાગચ્છની નીતિના સંવહનમાં જ વિશ્વમૈત્રી છે. કારણ કે. શ્રી યોગવિંશિકા ગ્રંથની ‘ટીકામાં કહ્યું છે કે - અવિધિના નિષેધ અને વિધિના સ્થાપન વડે જ એક પણ જીવને સમ્યમ્ બોધિનો લાભ થતે છતે (તેના દ્વારા) ચૌદરાજ લોકમાં અમારિ પટાહના વાદનથી તીર્થની ઉન્નતિ થવાની છે અને અવિધિના સ્થાપનમાં તો એનાથી વિપરીત થતું હોવાથી તીર્થનો જ ઉચ્છેદ થઈ જાય છે.” - કહેવાનો સાર એ છે કે - જૈન શાસનના સિદ્ધાંતો-વિધિવિધાનો 1. एतदपि भावयितव्यमिह तीर्थोच्छेदभीरुभिः - विधिव्यवस्थापनेनैव होकस्यापि जीवस्य सम्यग् बोधिलाभे चतुर्दशरज्वात्मकलोकेऽमारिपटहवादनात्तीर्थोन्नतिः, अविधिस्थापने च विपर्ययात्तीर्थोच्छेद एवेति / (श्लो० १४-१५/टीका)