________________ 23 પ્રશ્નોત્તરી - કુધર્મી ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - કુધર્મના સ્થાન ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - દેવનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. - ગુરુનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. - ધર્મનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. - ધર્મોનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. - ધર્મસ્થાનનો નાશ કરનાર ઉપર દ્વેષ આવે તે પ્રશસ્ત છે. પ્રશ્ન : ઘણા લોકો એવું કહે છે કે - ક્યાંયે દ્વેષ ન કરાય, બધે જ મૈત્રી-પ્રીતિ રાખવી જોઈએ ! - આ વાત યોગ્ય છે ? ઉત્તર : એ વાત યોગ્ય નથી. પૂર્વે જણાવ્યા મુજબ દેવાદિ પાંચનો નાશ કરનારા ઉપર દ્વેષ કરવાનો જ છે. તેમના ઉપર પ્રીતિ ન થાય અને મૈત્રીભાવના તો સર્વ જીવો ઉપર રાખવાની જ છે. અહીં ઉલ્લેખનીય છે કે - પ્રશસ્તિ રાગ-દ્વેષની હાજરી છઠ ગુણસ્થાનક સુધી હોય છે. જ્યાં સુધી ભાવમનમાં પડેલી કાષાયિક પરિણતિઓ અપ્રશસ્ત રાગ-દ્વેષ કરાવવાની તાકાત ધરાવે છે, ત્યાં સુધી અપ્રશસ્ત રાગ-દ્વેષને મારવા માટે (લોઢું લોઢાને કાપે એ ન્યાયે) પ્રશસ્ત રાગ-દ્વેષ કરવાના હોય છે. તેથી જ પ્રશસ્ત રાગ-દ્વેષનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું નથી. જ્યારે સાતમે ગુણસ્થાનકે મધ્યસ્થપરિણતિની પ્રાપ્તિ થાય છે, ત્યારે પ્રશસ્ત-અપ્રશસ્ત બંને પ્રકારના રાગ-દ્વેષના વિકલ્પો ઉઠતા નથી-નિર્વિકલ્પદશાની પ્રાપ્તિ થાય છે. અહીં મોક્ષસાધનાનો ક્રમ ઓળખવો જરૂરી છે - સૌથી પ્રથમ સાંસારિક વ્યક્તિઓ અને પદાર્થો વગેરે પ્રત્યેની સોપાધિક પ્રીતિ તોડવાની છે અને દેવ-ગુર-ધર્મ-ધર્મી-ધર્મના સ્થાનો પ્રત્યેની નિરૂપાધિક પ્રીતિ પ્રગટાવવાની છે. એ નિરૂપાધિક પ્રીતિને જીવંત રાખીને પ્રશસ્ત રાગવૈષના માધ્યમે અપ્રશસ્ત રાગ-દ્વેષનું તાડન કરતો કરતો જીવ ભાવમનમાંથી કાષાયિક પરિણતિઓનું ઉન્મેલન કરતો જાય છે અને અનુકૂળ-પ્રતિકૂળ