________________ પ્રશ્નોત્તરી 19 ભાવાર્થ : અશુદ્ધ લશ્યાનો ત્યાગ કરવામાં આવે અને વિશુદ્ધ લેશ્યાનો સ્વીકાર કરવામાં આવે ત્યારે મનઃશુદ્ધિ પ્રાપ્ત થાય છે. - અહીં ઉલ્લેખનીય છે કે - શુભલેશ્યાથી મન શુદ્ધ બને છે. શુદ્ધમનમાંથી જ દ્વેષાદિ મલિન ભાવો વિદાય લે છે અને તાત્વિક મૈત્રીભાવનાની પ્રાપ્તિ થાય છે. - તદુપરાંત, સમ્યગ્દર્શનાદિ સદ્ગણોના પીઠબળથી જ લેશ્યાશુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેના યોગે મનઃશુદ્ધિ પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનાદિના અભાવમાં, જે લશ્યાની શુભતા પ્રાપ્ત થાય છે, તે માત્ર શુભ છે, પણ શુદ્ધ નથી અને તેથી ત્યાં જે મનની શુભતા પ્રાપ્ત થાય છે, તે તાત્વિક નથી. આથી જ અધ્યાત્મસાર ગ્રંથમાં કહ્યું છે કે - “સખ્યત્વ હોતે છતે જ મનઃશુદ્ધિ પરમાર્થથી પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન વિના જે મનઃશુદ્ધિ હોય છે, તે મોડગર્ભિત છે અને અનર્થના અનુબંધવાળી છે." - આથી તાત્ત્વિક અને સ્થિર મૈત્રીભાવના પામવા માટે મનઃશુદ્ધિ જરૂરી છે. મનઃશુદ્ધિ માટે વેશ્યાશુદ્ધિ જરૂરી છે અને વેશ્યાશુદ્ધિને પામવા માટે સમ્યગ્દર્શન તથા તેની સાથે બીજા ગુણોની જરૂરીયાત છે. - સમ્યગ્દર્શનને પામવા-ટકાવવા-શુદ્ધ કરવા માટે રાગદ્વેષની તીવ્ર પરિણતિઓના ભેદનની અને અસદ્ગતના ત્યાગની આવશ્યકતા છે. - લેશ્યાશુદ્ધિને પામવા માટે “સંવેગરંગશાળા' ગ્રંથમાં જે ઉપાયો બતાવ્યા છે, તે પણ જાણવા - આદરવા જેવા છે. ત્યાં જણાવ્યું છે કે - - આત્માના પરિણામોની વિશુદ્ધિથી વેશ્યાશુદ્ધિ થાય છે. - આત્માના પરિણામોની વિશુદ્ધિ કષાયની મંદતાથી થાય છે. - બાહ્યપદાર્થોના સંગથી રહિત જીવના કષાયો મંદ થાય છે. 1. मनःशुद्धिश्च सम्यक्त्वे, सत्येव परमार्थतः / तद्विना मोहगर्भा सा, प्रत्यपायानुबन्धिनी ભર-શો 2. “પરિણામવિશુદ્ધી તૈયાસુદ્ધી દારૂ નવ | પરિઇનામવિયુદ્ધી પુજા, मंदकसायस्स नायव्वा // 9387 // मंदा होंति कषाया, बाहिरदव्वेसु संगरहियस्स / पावइ ભેંસાસુદ્ધિ, તા રેહાડડફ સંકળો 388"