SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧ : ભાવના ઉત્તમ રસાયણ છે જીવો પ્રત્યે કેવા પ્રકારના અભિગમો રાખવામાં આવે તો ધર્મ સિદ્ધિકોટીનો બની સ્વાભિપ્રેત ફલ આપવા સમર્થ બને છે, તે જણાવતાં યોગગ્રંથોમાં કહ્યું છે કે, હનગુણવાળા જીવો પ્રત્યે કરુણા રાખવાની છે અને એમને આગળ વધારવા પરોપકાર કરવાનો છે. મધ્યમગુણવાળા જીવો પ્રત્યે ઉપકારનો ભાવ રાખવાનો છે અને ઉત્તમગુણવાળા જીવો પ્રત્યે બહુમાનભાવપ્રીતિ-વિનય-ભક્તિભાવ રાખવાના છે. ર ચારે ભાવનાનું આંશિક સ્વરૂપ : ચારે ભાવનાનું આંશિક સ્વરૂપ જણાવતાં શ્રી “શાંતસુધારસ” ગ્રંથમાં કહ્યું છે કે, "मैत्री परेषां हितचिंतनं यत्, भवेत् प्रमोदो गुणपक्षपातः / कारुण्यमार्ताऽङ्गिरुजां जिहीर्षे-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा // 13-3 // " - અન્ય જીવોના હિતનું ચિંતન કરવું તેને મૈત્રીભાવના કહેવાય છે. ગુણવાન પુરુષોના ગુણોનો પક્ષપાત હોવો અર્થાત્ ગુણો જોઈને આનંદ થવો તેને પ્રમોદભાવના કહેવાય છે. દુઃખી જીવોના દુઃખને દૂર કરવાની ઈચ્છા હોવી તેને કરુણાભાવના કહેવાય છે. દુષ્ટબુદ્ધિવાળા જીવોની ઉપેક્ષા કરવી અર્થાત્ તેમના ઉપર રાગ-દ્વેષરહિતપણે વર્તવું તેને માધ્યચ્ય = ઉપેક્ષા ભાવના કહેવાય છે. કે મૈત્રી આદિ ભાવનાના વિષયો : મૈત્રી આદિ ભાવનાઓમાં કઈ કઈ ભાવનાનો વિષય કયો ક્યો છે, તે જણાવતાં શ્રી “યોગસાર' ગ્રંથમાં કહ્યું છે કે, “मैत्री निखिलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु / માધ્યચ્યવનપુ, રુIT સુદિપુ ર-દા” - સર્વ જીવો ઉપર મૈત્રીભાવના, ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદભાવના, અવિનીત (પાપી) જીવો ઉપર માધ્યચ્ય ભાવના અને દુઃખી જીવો ઉપર કરુણાભાવના જાણવી.
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy