________________ 114 ભાવનામૃત: મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન (50) ચિત્રાવૃત્તયુશ્ય વચનાત્તત્ત્વચિનનમ્ मैत्र्यादिसारमत्यन्तमध्यात्मं तद्विदो विदुः // - શ્રી યોગિન્દુ (અધ્યાત્મયોગનું સ્વરૂપ) - વ્રતધારી જીવ ઔચિત્યપૂર્વક મૈત્રી આદિ ભાવનાથી ગર્ભિત આગમાનુસારી જે તત્ત્વચિંતન કરે છે, તેને અધ્યાત્મ કહેવાય છે, એમ અધ્યાત્મવિદો કહે છે. (51) ચર્થનિપુણસ્વાદુત્તિ મૈચાવિવણિતમ્ ! अध्यात्म निर्मलं बाह्यव्यवहारोपबृंहितम् // 1-3 // - श्री अध्यात्मोपनिषद् રૂઢિ પ્રમાણે અર્થ કરવામાં કુશળ વિદ્વાનો મૈત્રી આદિ ચાર ભાવનાથી વાસિત, બાહ્ય વ્યવહારથી પુષ્ટ એવા નિર્મલ ચિત્તને અધ્યાત્મ કહે છે.