________________ 107 નના2 """""" પરિશિષ્ટ કરવાથી જ મિત્રતા યથાર્થ બને છે. જેનો મેં અપકાર કર્યો છે તે પ્રાણીઓની પણ હું મિત્ર તરીકે ક્ષમા માંગુ છું. એ રીતે મારા ચિત્તની કલુષિતતાને દૂર કરું છું. એ આગમનો સાર છે. બીજો ક્ષમા કરે કે ન કરે પણ મારે તો સર્વ પ્રાણીઓ વિષે મૈત્રી છે, કોઈની સાથે વેર નથી. (30) સર્વભૂતાવિનામૂર્તિ, વં પશ્યન્ સર્વલા મુનઃ | मैत्राद्यमृतसंमग्नः, क्व क्लेशांसमपि स्पृशेत् // સર્વ પ્રાણીઓની સાથે અવિનાભૂત એવા પોતાના આત્માને સર્વદા જોતો એવો મુનિ, મૈત્રી આદિ અમૃતમાં મગ્ન બનીને જોશના અંશને પણ સ્પર્શતો નથી. साम्यं समस्तधर्माणां, सारं ज्ञात्वा ततो बुधाः / बाह्यं दृष्टिग्रहं मुक्त्वा, चित्तं कुरुत निर्मलम् // સમસ્ત ધર્મોનો સાર સમતા છે, એ જાણીને બાહ્યદર્શનનો આગ્રહ છોડીને, ચિત્તને નિર્મળ કરવું જોઈએ. श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे / तथाऽपि तत्त्वतस्तस्माजनोऽयं प्लवते बहिः // જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ યોગોનો વિસ્તાર સમતા માટે છે. તો પણ લોકો હકીક્તમાં તેનાથી દૂર જ રહે છે. सुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः / / सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्त-शोधनम् // (श्री योगसार) મલને ધારણ કરવો, દુઃખે તપી શકાય તેવો તપ તપવો, ઈન્દ્રિયોનો નિરોધ કરવો તે સહજ છે, પણ ચિત્તને શોધવું = શુદ્ધ કરવું દુષ્કર છે. (31) ઐી સર્વેષ સન્વેષ, પ્રમોન ગુfથ माध्यस्थ्येनाविनीतेषु, कृपया दुःखितेषु च // 1 // सततं वासितं स्वान्तं, कस्यचित्पुण्यशालिनः / वितनुते शुभं कर्म, द्विचत्वारिंशदात्मकम् // 2 // | (શ્રી ધર્મસંપ્રદ મા-૨, કાશવમવિના) કોઈક પુણ્યશાળી અંતઃકરણને, સર્વ પ્રાણીઓ પર મૈત્રી, ગુણાધિક પ્રત્યે પ્રમોદ, અવિનીત પ્રત્યે માધ્યથ્ય અને દુઃખી પ્રત્યે કરૂણા વડે નિરંતર વાસિત કરીને બેંતાલીસ પ્રકારનું શુભકર્મ બાંધે છે.