SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 107 નના2 """""" પરિશિષ્ટ કરવાથી જ મિત્રતા યથાર્થ બને છે. જેનો મેં અપકાર કર્યો છે તે પ્રાણીઓની પણ હું મિત્ર તરીકે ક્ષમા માંગુ છું. એ રીતે મારા ચિત્તની કલુષિતતાને દૂર કરું છું. એ આગમનો સાર છે. બીજો ક્ષમા કરે કે ન કરે પણ મારે તો સર્વ પ્રાણીઓ વિષે મૈત્રી છે, કોઈની સાથે વેર નથી. (30) સર્વભૂતાવિનામૂર્તિ, વં પશ્યન્ સર્વલા મુનઃ | मैत्राद्यमृतसंमग्नः, क्व क्लेशांसमपि स्पृशेत् // સર્વ પ્રાણીઓની સાથે અવિનાભૂત એવા પોતાના આત્માને સર્વદા જોતો એવો મુનિ, મૈત્રી આદિ અમૃતમાં મગ્ન બનીને જોશના અંશને પણ સ્પર્શતો નથી. साम्यं समस्तधर्माणां, सारं ज्ञात्वा ततो बुधाः / बाह्यं दृष्टिग्रहं मुक्त्वा, चित्तं कुरुत निर्मलम् // સમસ્ત ધર્મોનો સાર સમતા છે, એ જાણીને બાહ્યદર્શનનો આગ્રહ છોડીને, ચિત્તને નિર્મળ કરવું જોઈએ. श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे / तथाऽपि तत्त्वतस्तस्माजनोऽयं प्लवते बहिः // જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ યોગોનો વિસ્તાર સમતા માટે છે. તો પણ લોકો હકીક્તમાં તેનાથી દૂર જ રહે છે. सुकरं मलधारित्वं, सुकरं दुस्तपं तपः / / सुकरोऽक्षनिरोधश्च, दुष्करं चित्त-शोधनम् // (श्री योगसार) મલને ધારણ કરવો, દુઃખે તપી શકાય તેવો તપ તપવો, ઈન્દ્રિયોનો નિરોધ કરવો તે સહજ છે, પણ ચિત્તને શોધવું = શુદ્ધ કરવું દુષ્કર છે. (31) ઐી સર્વેષ સન્વેષ, પ્રમોન ગુfથ माध्यस्थ्येनाविनीतेषु, कृपया दुःखितेषु च // 1 // सततं वासितं स्वान्तं, कस्यचित्पुण्यशालिनः / वितनुते शुभं कर्म, द्विचत्वारिंशदात्मकम् // 2 // | (શ્રી ધર્મસંપ્રદ મા-૨, કાશવમવિના) કોઈક પુણ્યશાળી અંતઃકરણને, સર્વ પ્રાણીઓ પર મૈત્રી, ગુણાધિક પ્રત્યે પ્રમોદ, અવિનીત પ્રત્યે માધ્યથ્ય અને દુઃખી પ્રત્યે કરૂણા વડે નિરંતર વાસિત કરીને બેંતાલીસ પ્રકારનું શુભકર્મ બાંધે છે.
SR No.023541
Book TitleMaitri Pramod Karuna Bhavna Ange Parishilan
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy