________________ પ્રકરણ-૪ઃ કરૂણાભાવના હૈયાની ભૂમિ કોમળ બને છે. તેનાથી ધર્મના બીજનું આધાન થાય છે. - સમાધિભાવને સાધવાના બીજો (કારણો) આત્મસાત્ થાય છે. અન્યની શાતાનો વિચાર સમાધિપ્રાપ્તિમાં ખૂબ સહાયક બને છે. - અન્ય જીવો આત્મતુલ્ય લાગે છે. તેનાથી આસ્તિકતા અને અનુકંપા ગુણ વિકસે છે. - પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, પુણ્યનો સંચય થાય છે, ચિત્ત નિર્મલ બને છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. નોંધ : ચોથી માધ્યશ્મભાવના - ઉપેક્ષાભાવનાનું વર્ણન “ભાવનામૃત-II: અનુકૂળ મધ્યસ્થભાવ-પ્રતિકૂળ મધ્યસ્થભાવ' પુસ્તકમાં કરવામાં આવ્યું છે.