SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જો, લોકોએ સેવિત એવા સકલ અસાર મિથ્યાત્વ બીજને તમે ત્યાગ કરો કે જેથી સમકિત અમૃતનું સેવન કરી તમે અક્ષય સુખના અધિકારી થાઓ.” ५सम्यग् ज्ञान- सेवन कर. . જેના વડે (આત્મ) વસ્તુ ધર્મનું યથાર્થ ભાન થાય અને અજ્ઞાન અંધકાર દૂર થાય તેમજ જેથી તત્કાલ મિથ્યાત્વ ભ્રમને દૂર કરનાર સમકિત ગુણ પ્રગટ થાય તેને જ્ઞાની પુરૂષ સમ્યગ જ્ઞાન કહે છે. સભ્ય જ્ઞાનીને ગમે તેવું શાસ્ત્ર સમપણે પરિણમે છે. ગમે તેમાંથી તે સારી માત્ર ગ્રહી શકે છે. ટૂંકાણમાં પ્રાપ્ત પરમાર્થથી તે સુખે સ્વપર હિત સાધી શકે છે. અજ્ઞાની યા શુષ્કજ્ઞાની તેમ કદાપિ કરી શકતું નથી, સમ્યમ્ જ્ઞાનીને સમગ્ર જ્ઞાનના બળથી સમજાયેલા રાગ પાદિક અંતરંગ શ૩વર્ગને દમવા મુખ્ય લકય રહે છે. તેની સકલ કરશું તેવા મુખ્ય લક્ષ્યથીજ પ્રવર્તે છે. તેથી તેને આ દશ્ય દુનીયા કેવલ સ્વાર્યમય ભાસે છે. જે એક વસ્તુને સંપૂર્ણ જાણે છે તે સર્વ વસ્તુને સંપૂર્ણ જાણે છે, એટલે કે જે સર્વ ભાવને સર્વથા જાણે છે, તે એક ભાવને સંપૂર્ણ જાણી શકે છે. આ વાતની ખાત્રી સમ્યમ્ જ્ઞાનથી સારી રીતે થઈ શકે છે. માટેજ સસમાગમ કરીને યા પરોપકારશીલ મહા પુરૂષ પ્રણીત પરમાગમની સહાય મેળવીને સમ્યમ્ જ્ઞાનને ખપ કર્યા કરે યેગ્ય છે. એવા ખપી પુરૂષજ પરમ પદના અધિકારી થઈ શકે છે.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy