________________
૧૪૨ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. પુષ્ટ કારણભૂત છે. વ્યવહાર સાધન વિના નિશ્ચય સાધી શકાય નહિં.
ચારિત્ર–પૂર્વે બતાવેલું ધમનું સ્વરૂપ મુખ્યતાથી કેવા પ્રકારનું છે?
સુમતિ-ધર્મનું પૂર્વોક્ત સ્વરૂપ મુખ્યતાથી વ્યવહારની અક્ષિાયે કહેલું છે તેથી તેમાં નિશ્ચય વરૂપ કેવળ ગણપણેજ રહ્યું છે.
ચારિત્ર–ત્યારે હવે મને નિશ્ચય ધર્મનું કંઈક સ્વરૂપ સ “મજાવે.
સુમતિ-સર્વથા કમ કલંક રહિત નિર્મળ જ્ઞાન, દર્શન, -ચારિત્ર અને વીર્ય (શક્તિ) રૂપ આત્માને સહજ (નિરૂપાધિક) -સ્વભાવ એજ નિશ્ચય ધર્મ છે. સત્તા રૂપે તે તે સદા આત્મામાં સ્થિત રહેલે જ છે.
ચારિત્ર–સત્તા રૂપે રહેલે તે ધમાં આત્માને ઉપકારી કેમ થઈ શકતું નથી અને તે કયારે અને શી રીતે આત્માને ઉપકારી થઈ શકે છે તે સમજાવે?
સુમતિ–આત્મા અનાદિ કર્મ કલંકથી કલંકિત થયેલે હોવાથી સત્તા માત્ર રહેલે ધર્મ આત્માને સહાયભૂત થઈ શકતે નથી. જ્યારે પૂર્વોક્ત વ્યવહાર ધર્મનું રૂચિ પૂર્વક સેવન કરવામાં આવે છે, ત્યારે પરિણામની વિશુદ્ધિથી એટલે જેટલે અંશે કર્મ મળના હઠવાથી આત્મ સ્વભાવ ઉજવલ થાય છે તેટલે તેટલે અંશે પ્રગટ થયેલા સત્તાગત ધર્મથી આત્માને સહજ ઉપગાર થાયજ છે. યાવત શુધ્ધ વ્યવહાર ધર્મના સંપૂણ બળથી જ્યારે ઘનઘાતિ કમ મળને ક્ષય થઈ જાય છે, ત્યારે તે અનંત જ્ઞાન,