SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઋજુવાલુકાને તીરે ૧. પાડનારી, અધપણું ને બહેરાપણું લાવનારી, દાંતને દૂર કરનારી, કૈાવનના નાશ કરનારી, સ્ત્રીપુત્રોથી પુણ્ તિરસ્કાર ઉત્પન્ન કરાવનારી,મુખમાંથી લાળ પડાવનારી આ જરા ચલના પર જબરી અસર કરે છે. (૨) રૂજા–વ્યાધિઓ. આનાથી શરીરને મઢવાડ આવે છે. હેડકી, ભમરી, હરસ, ગુલ્મ, શૂળ, તાવ, સન્નિપાત, ખસ, કાઢ, ભગ ંદર, અરુચિ, જળેાદર, ક્ષય, અતિસાર વગેરે અનેક પ્રકારના વ્યાધિ લાવીને એ ચલનામાં મોટા ફેરફાર કરી નાખે છે, પ્રકૃતિમાં વિકાર કરાવી નાખે છે, શાંત મગજને અસ્વસ્થ બનાવી દે છે, દયા ઉપજાવે તેવા બૂમબરાડા પડાવે છે, આંખમાંથી આંસુ પડાવે છે, પથારીમાં આમતેમ પછાડા મરાવે છે અને મનુષ્યશરીરમાં નારકીનાં દુઃખા અનુભવાવે છે. (૩) સ્મૃતિ-મરણ. મોટા મેોટા ચક્રવર્તીને પણ પેાતાના બાહુમાં પકડનાર, ગૃહસ્થ કે ગરીબ, વૃદ્ધ કે તરુણુ, બળવાન કે નિષ્ફળ, ધીર કે વીર, મૂર્ખ કે વિદ્વાન કાઈને પણ એ છેડતી નથી, સર્વ ચાલુ ચલનાને અટકાવી દે છે, શરીરને દુર્ગંધમય અને કાષ્ઠ જેવું ચેતના વગરનું અનાવી મૂકે છે, નામમાત્રથી મોટા દેવેન્દ્રને પણ ડરાવે છે, દીર્ઘ નિદ્રાનુ ભાન કરાવે છે, ધન, ઘર, સ્ત્રી સાથે વિયેાગ કરાવે છે, ચલન અમુક વખત માટે તદ્દન અંધ કરાવી ઢે છે અને પ્રાણીને ઉપાડીને અન્યત્ર ફ્રેંકી દે છે, જ્યાં તેનાં સગાં તેને ઓળખતાં નથી, ધન અને ઘરબાર પરના તેના હકક ઊઠી જાય છે અને તેને મનમાં મહાત્રાસ થાય છે. (૪) ખલતા-લુચ્ચાઇ, શતા, વૈશુન્ય ( ચાડી ), મિત્રદ્રોહ, કૃતઘ્નતા, નિર્લજજતા, મદ, મત્સર, મર્માઘાટન 6
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy