________________
જીવાલુકાને તીરે
૭૭
જાગીએ છીએ ? આ વિચારની સાથે વળી - ચલના જરૂર જાકુ, તાકુ કૈસે સાવા ?’ એ લય હૃદય પર જામી ગયા, એના પર વિચારણા ચાલવા માંડી, એ લય ફરી ફરી સંભળાવા લાગ્યા અને આખા જીવનપટના દર્શન થવા લાગ્યા. આપણે ચાલવાનું એટલે શું? પગ વડે આગળ વધવું તે પણ ચાલવું કહેવાય ! શરીર છેાડી ચાલ્યા જવું એ પણ ચાલવું કહેવાય ! નીચે પ્રયાણ કરવુ એ પણ ચાલવું કહેવાય, સાધ્યના ઠેકાણા વગર દોડાદોડી કરવી, એ પણ ચાલવું કહેવાય, વર્તુળમાં દોડાદોડી કરીને હાલી ચાલીને ઘણા પરિશ્રમને પરિણામે પાછા ત્યાં ને ત્યાં જ આવું એ પણ ચાલવું કહેવાય, અને સર્વ સબંધ છેડી નિવૃત્તિનિવાસમાં ગમન કરવું એ પણ ચાલવું કહેવાય. આ ચાલવાની વાત તા મહુ જ વિચારવા લાયક છે. આ રીતે જોતાં તા આખી દુનિયા એક અથવા બીજા પ્રકારે ચાલ્યા જ કરે છે, ચેતનાલક્ષણમાં જ ચાલવાના ભાવ અંતગત હાય છે એમ દેખાયું. પછી તા નિગેાદથી માંડી સર્વ જીવામાં ચલનક્રિયા થતી દેખાઇ. કાઇમાં એક પ્રકાર, તેા કાઇમાં ચલનના ઉપર જણાવેલા બીજો પ્રકાર, તા કાઇમાં અન્ય પ્રકાર; પણ ચલન તા સર્વત્ર નિયમસર જણાયું. અહા હા ! ત્યારે આખું જીવન ચલન પર જ રચાયેલું છે અને જીવનવ્યવહાર પણ ચલન પર જ રચાયલા જણાય છે, તે પછી આપણે શા માટે બેસી રહેવુ? તે વખતે ચાદ રાજલેાક જાણે આગળ ચાલતા હાય, હલીચલી રહ્યા હાય, અને સર્વત્ર દોડાદોડ થઈ રહેલી હાય-એવા ભાસ થયા.
પણ એ સર્વ ચલના દેખાય છે તેમાં ઠેકાણુ કયાં