SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઋજુવાલુકાને તીરે. [ ૬ ] વીર પરમાત્માના નામસ્મરણ સાથે આખી રાત્રિ શાંત નિદ્રામાં વ્યતીત થઈ. સેંકડા વર્ષ પહેલાં પરમાત્માને જગતતત્ત્વના પ્રકાશ થયા હશે, આખા જીવનના ભૂત–ભાવી ભાવા હસ્તામલક જેવા દેખાયા હશે, જીવનના સવાલાને નિર્ણય થઈ ગયા હશે, સંસારપ્રવાહના પડદા ખૂલી ગયા હશે, અનંત જીવેાનાં શાશ્વત સુખે! અને અનંત જીવાના જીવનકલહેાના સાક્ષાત્કાર થયા હશે. તે વખતે કેવી અદ્ભુત દશા પ્રાપ્ત થઈ હશે, કેવા અનિર્વચનીય આન થયા હશે, કેવા આત્માનુભવરસ ફેલાઇ રહ્યો હશે, કેવી શાંતિ પ્રસરી રહી હશે ! તેની કલ્પના આખી રાત અંતરાત્મા નિદ્રામાં કરતા રહ્યો. શાંત સ્થાનનું સુંદર વાતાવરણુ, અત્યંત સાંદર્યથી ભરપૂર વનરાજી, સત્ર હસતી કુદતી પશ્ચિમ દિશામાં પ્રકાશી રહેલ શાંત જ્યેાસ્ના, આકાશમંડળમાં નૃત્ય કરી રહેલ તારાનક્ષત્રાના સમુદાય, ઝળઝળાયમાન થતું તેનુ અતિ સુ ંદર ડાયિા કરતું તેજ, પૂર્વ દિશામાં ઊગેલ શુક્રના વૈભવ, માથે આવી રહેલ બૃહસ્પતિ અને બાજુમાં હસતા શાંત સર્ષિઆને સમૂહ, સખ્ત ઠંડી છતાં ચારે તરફ નજરને આકર્ષી રહ્યાં, પ્રેરણા કરી મનને ખેંચવા લાગ્યાં, નિદ્રા અને સ્વપ્નદશાને ત્યાગ થઈ ગયા, શ્રી વીરના જીવનપ્રસંગે એક પછી એક આંખ સામે તરવરી રહ્યા, એમના પર ગાવાળે કરેલ ઉપસર્ગો સન્મુખ સ્થિત થયા, ગાધે કાનમાં ખીલા નાખવાના પ્રસંગ સામે અનુભવ્યેા, ખીલા
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy