SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને માગે દના અનુભવ કરાવનાર મૂર્તિ જેવું અવલ અન શા માટે તજી દેવું એ સમજાતું નથી. જેએ અવલખન વગર ધ્યાન કરી શક્તા હાય, શાસ્ત્રીય ભાષામાં કહીએ તે જેઓ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી આગળ ચાલ્યા હાય, અથવા અપ્રમત્ત યતિ હાય, તેને માટે આ વિષય નથી; પરંતુ ઉક્ત પ્રકારના માણસે આ કાળમાં પ્રાયે હાય નહિ, તેથી બાકીના માણસાને તે મૂર્તિપૂજા મૂકી દેવાથી ધર્મ પામવાનું પ્રમળ સાધન મૂકી દેવા જેવું થાય છે. વળી કેટલાક માણસે મૂર્તિપૂજા માનતા નથી તેએ ખરેખર ભૂલ ખાય છે. જ્યારે ધ્યાન કરે ત્યારે તેઓ શું પે છે ? જ્ઞાન, દર્શન, ચારિત્રની એકત્રતા તે આત્મા-પરમાત્મા ચિટ્ટઘન સ્વરૂપ-પરમન્ત્યાતિ વિગેરે. આનું ધ્યાન તેઓ કેવી રીતે કરી શકે ? જેએને ભાવનારૂપ અદૃશ્ય પદાર્થોમાં રમણુ કરવાની ટેવ ન હેાય અને જેઆને મનાયેાગ સાધ્ય ન હેાય, તેઓને કાંઈ આધાર-ટેકા જોઈએ; નહિ તે આજીમાજીના ભળતા વિષય પર મન દ્વારવાઈ જાય છે. આથી કરીને તેએ સાધારણ રીતે કેવળી ભગવાનની ભૂમિ પર વિહારની સ્થિતિ કે એવી કોઈપણ સ્થિતિ મનમાં ક૨ે. આમ થવાથી તે માનસિક પૂજાના અભિલાષી થયા અને માનસિક મૂર્તિપૂજા માનનારથી કદી પણ સ્થળ મૂર્તિપૂજાની ના પાડી શકાય નહિ. વળી માનસિક મૂર્તિપૂજા કરનાર કેટલીક વાર માટેો ભૂલાવા ખાય છે: તેઓ પોતાની માનસિક મૂર્તિને ખરેખર પરમાત્મા જ માને છે, જ્યારે સ્થૂળ મૂર્તિ પૂજા માનનાર પેાતાની મૂર્તિ ને પરમાત્મ સ્વરૂપ ખતાવનાર, સ્થાપનારૂપ, કલ્પિત આરોપ તરીકે જ માને છે, સમજે છે. આથી કરીને જે ભૂલ માનસિક * Expositor
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy