SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કર સાધ્યને માગે આ પ્રસંગે શાસ્ત્રધાર દ્રવ્યપૂજાને અનુકૂળ છે કે નહિ તે સવાલ માત્રુ ઉપર મૂકી માત્ર બહારના પ્રાકૃત વિચારથી જ આ સંપ્રદાય ઉપર વિચાર કરવાની સ્ફુરણા થઈ છે. શાસ્ત્રના *માન તરફ્ વિચાર ન કરીએ તે પણ ખરાખર વિચાર કરવાથી જણાશે કે દ્રવ્ય પૂજાની ખાસ જરૂર છે. આ જમાનામાં દરેક ખાખત ઉપર વિચાર કરવાની આવશ્યક્તા છે. કોઈ પણ ખામત જૈન શાસ્ત્રમાં આગ્રહથી ફરમાવેલી નથી, ખસુસ કરીને દ્રવ્યપૂજાની કેટલી જરૂર છે અને આ જમાનામાં પ્રવૃત્તિમય જીવન થવાથી ઉપયેાગિતા વધે છે કે ઘટે છે તે બાબત પર વિચાર કરવાની ખાસ જરૂર છે. આ સવાલ દ્રવ્યપૂજાના પ્રમળ નિમિત્ત મૂર્તિ પૂજા પર વધારે ઢળી જાય છે અને તેથી તેની આવશ્યકતા પર વિચાર કરીએ. * અત્યાર સુધીમાં કાઇ પણ પ્રજાએ મૂર્તિ પૂજા વગર ચલાવ્યું હોય એમ તિહાસ પરથી માલુમ પડતું નથી. દરેક પ્રજા એક અથવા બીજા રૂપમાં મૂર્તિ પૂજા સ્વીકારતી આવી છે. જ્યારે મૂર્તિપૂજા હદ બહાર જાય છે એટલે કે મૂર્તિને મૂર્તિ ખાતર પૂજવાનું થાય છે, ત્યારે તેમાંથી જુદા વિચાર બતાવનારા લેાકેા નીકળી આવે છે, પણ આવા લેાકેા ખાસ કરીને આગળ વધી ગયેલા વહેમ પર અને નહિ કે મૂર્તિપૂજા પર આક્ષેપ કરનારા હોય છે. સાડાત્રણસો વરસ પહેલાં થાડાક ક્રિશ્ચિયને એ મૂર્તિપૂજા વિરુદ્ધ વિચારા ખતાવ્યા છે અને હાલ તેઓ પ્રોટેસ્ટ...” પંથના કહેવાય છે, પરંતુ તેના વિચાર માત્ર દેખાવમાં જ મૂર્તિપૂજા વિરુદ્ધ લાગે છે, પશુ વસ્તુત: તેમ નથી. તેઓએ જે માર્ગ લીધે તે મૂર્તિ'*See C. H. C. Mogazine Vol. I. P. 65.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy