SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સાધ્યને માગે vvvvvvv w સાધન માનનારા અને તે દ્વારા માની લીધેલા સુખમાં સંસારમાં ઘસડાતા જ મળી આવશે. પણ આ સર્વ વ્યાપાર કરનાર પિતે કોણ છે? શા માટે આ સર્વ ધમાલ કરે છે? પિતાનું અંતિમ સાધ્ય શું છે? ક્યાં જવાનું છે? ત્યાં જવાનાં સાધને ક્યાં ક્યાં છે? અને તે કોને અને ક્યારે તથા કેમ ઉપલભ્ય છે? તેને વિચાર કરનાર બહુ અપ છે. મોટો ભાગ તો પતાથી પૂરની વિચારપણમાં જ સંતોષ માનનારો હોય છે, પિતાને માટે તે જાણે કાંઈ વિચારવાનું રહેતું નથી, વિચારવા ગ્ય કાંઈ છે જ નહિ, અને પોતે આદરેલ જીવનપ્રણાલિકા આદભૂત છે, એમ માની કામ લેનાર છે. એક બીજો એવો વર્ગ છે કે જે સંસારથી -પિતાને દબાયેલા–છૂંદાયેલા–કચરાયેલા માનનારે હોય છે અને પોતે અકિચિત્કરે એવા ખ્યાલમાં તદન નિર્માલ્ય જીવન જેમ તેમ કરીને પૂરું કરનારે હોય છે. કેટલાક માણસો પરસેવામાં કેટલાક અધમ દુર્વ્યસનની સેવામાં કેટલાક ભીખ માગવામાં અને કેટલાક ખુશામત કરવામાં જીવન વ્યતિત કરે છે. આવા સમાજના વિકી અંગેનો વિચાર હાલ ન કરતાં વિશિષ્ટ અંગેનાં જીવન આપણે બારિકીથી અવલેકીએ છીએ, ત્યારે તેમાં અનેક વિરોધ, ગોટાળા અને અવ્યવસ્થા જેવામાં આવે છે. પણ આ સર્વ બાબતો આત્મનિરીક્ષણ કરનારને, વસ્તુસ્વભાવ સમજનારને વપરને વિવેક કરી નારને જ જણાઈ શકે તેમ છે. જ્યાં સુધી પર વસ્તુ કઈ કઈ છે? અને તેને પિતા સાથે સંબંધ છે અને કેટલે છે? તથા શા માટે થયેલું છે? તેને ખ્યાલ ન આવે ત્યાં સુધી એ વિરેાધ, બોટાળા, કે અવ્યવસ્થા લક્ષ્ય પર પણ નહિ આવે.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy