SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારર્ણા અને અવલાકન ૪૩ ખ્યાલથી આવી મહત્ત્વની ખામતમાં લેવાઈ જવા જેવું નથી. દુનિયા હમેશાં સ્થૂળ ખ્યાલ કરનારી, તાત્કાળિક ફળમાં સતાષ પામી જનારી અને વિશિષ્ટ પરિણામ તરફ આંખા બંધ રાખનારી હેાય છે. દુનિયાના અસ્પષ્ટ ચાલે! ઉપર મદાર આંધીને આપણી સાધ્ય બાબતાને નિર્ણય કરવામાં આદર્શને ચાસ કરવામાં આ રીતે બધી વખત સ્ખલના થાય છે, ભૂલ થાય છે. ત્યારે વાસ્તવિક સુખ શું છે? કયાં છે ? કેમ મળે ? કેવા પ્રકારનું હાય ? તે શેાધવાની અને તેને અનુસારે સાધ્યને નિણૅય કરવાની ખાસ જરૂરીઆત પ્રાપ્ત થાય છે. એ સુખની શેાધમાં અને એના નિર્ણયના ચેક્કસપણામાં જીવનનું સાફલ્ય છે. આ દૃષ્ટિબિન્દુથી સત્ય અને વાસ્તવિક શાશ્વત સુખ શોધવા પ્રયાસ કરવા આવશ્યક છે, કર્તવ્ય છે, આદરણીય છે. X X * X અતિ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી માખત તા એ છે કે આ જીવનના પ્રશ્નો ઉપર આપણે અહુધા વિચાર જ કરતા નથી, આપણે અનેક દેશે!ની નીપજ આવકના આંકડાઓના અભ્યાસ કરીએ છીએ, હિંદુસ્તાનની આયાત નિકાશના આંકડા પર તુલના કરીએ છીએ, ભૂતકાળના ઈતિહાસનાં પાનાં ઉથલાવી તે પર અભિપ્રાય આપીએ છીએ, જુના લેખા, તામ્રપત્રો, સિકાએ વાંચવાના પ્રયત્ન કરીએ છીએ, વર્તમાન યુગના માટા બનેલા કે મેટા માનેલા મહાપુરૂષાનાં ચરિત્રો સાંભળીએ છીએ, વિચારીએ છીએ અને તે પર ચર્ચા ચલાવીએ છીએ; આવી બહારની અનેક પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ, યથામતિ અને સાગાનુસાર પરનું હિત
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy