SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ વિચારણા અને અવેલેન અંતિમ હેતુ સમજાય છે. એ અંતિમ હેતુ સ્પષ્ટ હાય, ચક્કસ હેય તે જ આપણી સર્વ કિયાએ તેને અનુલક્ષીને થાય છે. આપણે ઘેરથી ફરવા નિકળીએ અને ક્યાં જવું છે તેને નિર્ણય ન હોય અને આપણું મનની ડામાડેળ સ્થિતિ હોય, તે આપણે ગતિ કેવી થાય છે? આપણે ટ્રામમાં બેસીએ અને ક્યાંની ટીકિટ લેવી છે તે આપણે જ જાણતા ન હોઈએ તો આપણને કેવા ખ્યાલ થાય છે? દેખાય છે તો તેનાં કારણો શું છે ? કારણો હશે એ કઈ વખત વિચાર પણ કર્યો છે? ન કર્યો હોય તે પછી આપણું મંદમાં પણ ગણના થાય કે તેથી પણ ઓછી હદે પહોંચીએ? તે વિચારવા યોગ્ય છે. અહીં પ્રશ્ન થાય છે કે શું આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તેને હેતુ જ નથી કે આપણે વિચાર કરતા નથી ? આવી અસંભવીત વાતની સ્થાપના કરી હોય અને પછી તે સર નિર્ણયે બાંધવા માંડયા હોય તે તેમાં ભૂલ લાગશે. તેટલા માટે પ્રથમ એ વિચાર કરવાની જરૂર છે કે આપણા સર્વ કાર્યોના સમીપના હેતુઓ તે આપણી બુદ્ધિશક્તિની ખીલવણીના પ્રમાણમાં એ છે વધતે અંગે જાણવામાં હાય છે, પણ અંતિમ હેતુને ખ્યાલ હેતે નથી, હેાય છે તે ઘણે અસ્પષ્ટ હોય છે અને એના વચ્ચેના સાધનમાં ઘણું જ ગેરવ્યવસ્થા હોય છે. એના થોડા દાખલા વિચારીએ. - એક અભ્યાસી વિલાયત જઈ બહુ ખર્ચ અને કાંઈક પ્રયાસ કરી બેરિસ્ટરની પદવી સંપાદન કરી આવ્યું. તે એક સમજુ યેગી પાસે ગયે. ગીને પોતાના દૂર દેશની મુસાફરીની અને ત્યાં કરેલા અભ્યાસની વાત કરી. પછી તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ :–
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy