SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જળમંદિરમાં સાત્વિક કલેલ ગુણનો વરસાદ વરસાવતા હોય, એ વરસાદના અમૃતજળમાં આ લઘુ સૂક્ષ્મ શરીર સ્નાન કરી પવિત્ર થતું હોય અને એ વરસાદ પડવે જારી હોય અને જારી રહેશે એવી ભાવના થતાં આખરે તુ ગતિ તું મતિ આશરે, | તું અવલંબન મુજ પ્યારે, રે. એ વાક્ય બોલતાં આ શરીર સામે ઉભેલા પરમાત્માને " નમી પડયું, પગે પડ્યું, તેની સાથે થઈ ગયું, તેને સ્પર્શ કરી ગયું અને પ્રભુ સર્વસ્વ એવો ભાવ બરાબર અનુભવવા લાગ્યું. “તું ગતિ અને તું મતિ, તું આશ્રય અને તું અવલંબન!” એ ચારે શબ્દોના ભણકારા હજુ પણ વિસરાતા નથી, પ્રભુને સર્વ સમર્પણ કરી પ્રભુમાં જ મતિ રાખવાની અને પ્રભુને સર્વસ્વ માની લેવાની ઉન્નત દશાને અનુભવ કરતાં આખરે ગાને ત્યાં વિરચ્યું, પ્રભુશરીર ઉપર ચડવા ઈચ્છતું જોવાયું, મન તેના તરફ જવા અને તે મચ થવા આકર્ષતું જણાયું; આખરે ચંદ્રજ્યોનામાં તે મહાશરીર મળી ગયું. આંખ ઉઘડી ગઈ! સામે શાંત સરેવર છે, માછલીઓ કાંઈક અવાજ પાણીમાં અવાર નવાર કરે છે, બે મિત્રો બાજુએ બેઠા છે, આ અસલ સ્થિતિ પાછી જોવામાં આવી. વીર પરમાત્માને દેહ વિસરાળ થઈ ગયે, પણ “તુ ગતિ નું મતિ આશરે, તું અવલંબન મુજ યારે રે ગાન તો ચાલું જ રહ્યું. જાણે અલ્પ સમયમાં જીવન અદ્ભુત દશાને સાક્ષાત્કાર કરી આવ્યું હોય, તેણે પરમાત્માને પ્રત્યક્ષ જોયા હોય અને સંસારભાવથી તે દૂર થએલ હાય એવી દશા
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy