SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ઝીલ્લી સતિનું આંતર ટકશે? ચકર્તા છ ખંડ સાધી લટ નજીક આવે છે ત્યારે તેની ઉપર લખે છે કે “અમુક ચકૅવતી અમુક વખતે થયા. તે ભાષભકૂટ ઉપર સેંકડો-લાખે કે કરેડા ના લખાયેલાં હોય છે, લખવા માટે જગ્યા ખાલી હતી નથી, એકનું નામ ભુંસાડી પોતાનું લખવું પડે છે અને છતાં તું યાદ કર. આ ચોવીશીના બાર ચક્રવર્તી એમાંથી કેટલાંનાંનામતને આવડે છે? ધારીએ કે શાંતિનાથકંથુનાથં-અરનાથનાં નામ ચક્રી તરીકે યાદ હશે. પછી ભરત યાદ હશે. સુલૂમ બીજા છ ખંડ સાધવા ગયા અને લાભની હદે પહોંચ્યું તેથી કદાથ તેનું નામ યાદ હશે. કદાચ અધે થયેલ ચકી બ્રહ્મદત્તનું નામ યાદ આવશે. પણ બાકીના છનું શું? આવી હકીકત છે. તે પછી તું કેણ હિસાબમાં? તારા મરણ પછી કદાચ પાંચ દશ વર્ષ સુધી તને કઈ યાદ કરશે, તે તેમાં તને લાભ શે? અને એવી યાદી પણ કેટલા વખત સુધી ? પરન્તુ તેટલા ખાતર સર્વ લાભને તું ગુમાવી બેસે છે એ ધ્યાનમાં રાખ. નામ ખાતર તું કેવી રમત રમે છે, કેટલી આત્મવંચના કરે છે અને કેટલા ગોટા વાળે છે!! આ સર્વ કેને માટે? શા સારૂં? મનેવિકારનું પૃથક્કરણ કર. જરા ઊંડે ઉતર અને અંદર જે. બહાર જવાને બદલે અંદર જઈશ એટલે તેવી ટેવ પડતાં તને ન જ પ્રકાશ પડશે અને તારી અત્યારની પરાવલંબી મને દશા પલટાઈ જશે. તારી પ્રશંસા કરનાર બીજે જ દિવસે તારી ટીકા કરશે–કરે છે, એ તું જોઈ શકે છે? આવી ટુંકી, ટૂંકા • 19.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy