SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સાધ્યને માગે માસ હતો, નીર સ્થિર હતું, ચોતરફ એક સરખી શાંતિ હતી, આખી કુદરત હસતી હોય એ રમ્ય દેખાવ હતે. કુદરત અને કૃત્રિમતા વચ્ચે ઝોલાં ખાતું મન, આખરે જ્યારે જળમંદિરના દરવાજામાંથી પગથી ઉપર ચાલ્યા ત્યારે એ લગભગ પાંચ ફુટની પૂલ જેવી વ્યવસ્થાવાળી પગથીપર વીરને સ્મરવા લાગ્યું. એક બાજુ સ્થિર જળમાં ચંદ્રમા પિતાનું પ્રતિબિંબ નાખી રહેલો છે, બીજી બાજુ નાની માછલીઓ પાણીમાં દેડાદોડ કરી રહી છે, સામે વિશાળ મંદિર દેખાય છે–એવી સ્થિતિમાં સૃષ્ટિના પૂર સંદર્યને નીહાળતાં વીર પરમાત્માની શેકસ્વારી આ રસ્તે પસાર થઈ હશે એમ સ્મરણ થતાં મંદિર આવી પહોંચ્યું. અંદર જઈ પાદુકાના દર્શન કરી ચૈત્યવંદનની વિધિ કરી. અંતરમાં વીર પરમાત્માની ભાવનાઓને અનુભવ અને બહારની નજરે દર્શનને અનુભવ કરતાં ઘણે સમય મંદિરમાં અને મંદિરની આજુબાજુમાં વીતી ગયે. આ સ્થાન પરથી બહાર જવા ગમતું નહોતું. મંદિરની બહારના ભાગમાં ચારે બાજુ આવેલા ચેકને છેડે ચાર ગેખ (balcony) અને બુરજ છે. ગેખમાં સહચારીઓ સાથે બેસી વીર પરમાત્માના સમયની વાર્તા કરવા માંડી. જાણે વીર પરમાત્માના નામમાં જ કેઈ અપૂર્વ પવિત્રતા હોય એ ભાવ જણાય. એ નામ બેલતાં મનમાં અદ્દભુત આનંદ થવા લાગે, અને સ્થાન (ક્ષેત્ર), ગપ્રવૃત્તિમાં ઘણું અગત્યનું સ્થાન શા માટે ભગવે છે તેને કાંઈક - સાક્ષાત્કાર થયા. વાતે ચાલી કે જે વખતે વીર પરમાત્મા વિચરતા હશે
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy