SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Anurmine ૨૫૬ સાધ્યને માગે આ પદ બોલનાર એક ખરેખર મહાત્મા હતા. સં; સારતાપથી તપી, બહાર નીકળી જઈ, કોઈ અસાધારણું શાન્તિને અનુભવ કરતા હતા. એની શાંત મુખમુદ્રા અને અદ્દભુત ગતેજ એના વાતાવરણમાં અને પ્રકાશ પાડી રહ્યા હતા. બંને વચ્ચે ઘણું વાત થઈ. જાણે દીર્ઘ કાળના પરિચયી હોય તેવા તેઓ થઈ ગયા. અગત્યની વાત નીચે પ્રમાણે હત: આપણે નવા મુસાફરને મહાત્માના નામથી ઓળખીએ અને શાન્તિની શોધમાં નીકળી પડેલાને શાંતિલાલ કહીએ. શાન્તિલાલ:–“ જય પરમાત્મા !” મહાત્મા–“જ્ય, જય! તમને ધર્મને લાભ થાઓ. ભાઈ! આપને કાંઈક પરિચય આપશે? આત્માને કુશળ વર્તે છે?” શાન્તિલાલ:–“એક સાધારણ મુસાફર છું અને કાંઈ શોધ કરવા પાછળ ઘણા વખતથી ફરું છું. આપનું ગાન સાંભળી અહીં આવ્યું છું.” મહાત્મા:–“શેની શોધ કરવા માટે નીકળ્યા છો ?” શાન્તિલાલ –“શાંતિની શોધમાં ફિર છું.” મહાત્મા:–“અરે ભાઈ! શાન્તિને તે વળી શેધવા નીકળતું હશે. એ તે કાંઈ શેપ કરવાથી કે ફરવાથી મળે?” શાન્તિલાલ:–“આપ શું કહેવા માગે છે? હું બરાબર સમજે નહિ.” મહાત્મા–“તમે કહ્યું કે તમે શાન્તિ શેધવા ફરે છો. એ તમારે જવાબ સાંભળી મને નવાઈ લાગી. શાતિની તે વળી શોધખોળ થતી હશે ? એ તે તમારામાં જ ભરેલી
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy