SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિરીક્ષણ રાખી મન પર ઠસાવવા જેવી છે. દાખલા તરીકે કાઇ માસ સર્જાશે. પ્રમાણિકપણુ” ગ્રહણ કરે અથવા તેવા થવા મહેનત કરે તા તે કદી હિંસા કરે નહિ, અસત્ય લે નહિ–આ વિગેરે સવે મહાપાપા પતી જાય છે. કારણ કે રાત્રિએ તેની વિચારણા ચાલે ત્યારે તેને જણાઈ જાય છે કે આ સર્વ કૃત્યોના પણુ અપ્રમાણિકપણામાં સમાવેશ થાય છે. આવી રીતે સર્વ ગુણા તેને પ્રાપ્ત થાય છે. માણસ એક ગુણ મેળવવા પાછળ જો આખી જીંદગી અર્પણ કરે તો તે સર્વ પ્રકારના લાભા–અહિક અને પારલૈાકિક-મેળવી શકે છે. આવી સ્થિતિ થવા માટે પ્રથમ ઉપાય વધારે ઉપયેાગી છે. જેને ગુણેા પ્રાપ્ત કરવા હાય તેને માટે વિસ્તીર્ણ ક્ષેત્ર છે. દાખલા તરીકે પાપસ્થાના નિવારવા, શ્રાવકના એકવીશ ગુણા ધારણ કરવા, દશ યતિ ધર્માંસાચવવા દેશથી], આઠે પ્રવચન માતા પાળવી, વિ. વિ. આવા આવા અનેક ગુણા શ્રેણીબદ્ધ આચરવાથી અથવા એક પછી એક મેળવવાથી આ જીવ કેઇ નવા પ્રકારના જ થઇ જાય છે. તેનુ જીવન હેતુવાળુ, સારા પરિણામવાળુ અને અનુકરણીય થાય છે. આ સખ્ત હરીફાઈના જમાનામાં પ્રવૃત્તિમય જીવને જોવામાં આવે છે. એક દિવસમાં આત્મિક હાનિ કેટલી થાય છે તેને ખ્યાલ કરવા મુશ્કેલ છે. તેવા વખતમાં આપણે કેટલા ઘસાતા જઈએ છીએ, ડૂબતા જઇએ છીએ, અથવા ધારેલ લાભાને મેળવવાનાં સાધના કેટલાં ઓછાં થતાં જાય છે તે વિચારવાનું પ્રત્યેક પ્રાનનુ વ્ય છે. વખત એટલેા ખારીક આવી ગયા છે કે, આવા વિચાર કરીને માણસાને પૂછશે તા કહેશે કે વખત નથી” આ ફ્રીઆદ સામાન્ય થઈ છે.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy