SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ . પાણી વલોવ્યું. નૃત્ય, તુચ્છ અઠ્ઠાસ્ય, અને બીજા અનેક અવનવા બનાવે જેશે; પરન્તુ મૂંઝાવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. એ ગૂંચવણમાંથી નીકળવાનો માર્ગ છે, એધી શકાય તે શોધજે તમને જડી શકે તે ભલે ન જડે તે એક છેરી માર્ગ છે અને તે ભકિતને. ભકિતની એકાગ્રતા આ સર્વ મૂંઝવણ દૂર કરશે, અત્યારસુધી ભૂલ્યા હશે તેને ખરે માર્ગ બતાવશે, ઠેકાણે લાઈ. આવશે, આશ્રવના દ્વારનું મજબૂત રૂંધત કરશે અને તાંડવ નૃત્ય અને હાસ્ય દૂર કરી અને વિકારે પર વિજય મેળવી તમને તમારી વસ્તુ બતાવી આપશે, અત્યાર સુધી પડછાચાના પછવાડે દેડયા છે તેને બરાબર ઓળખાવશે અને તમારી વસ્તુને જોઈ જાણું, પીછાણ નથી તેને ઓળખાવી તમારી કરી આપશે. પછી જ્યાં જશે અને કેને હેરશે તે કહેવાની જરૂર નથી, તમને સ્વયંપ્રકાશ થઈ જશે. એ માટે થોડા નિયમો ધ્યાનમાં રાખશેઃA (1) ભકિત એકાગ્રતાનું કારણ છે, તેથી તેને નિત્ય સ્વીકારવી. (૨) એની નિયમિતતામાં ભંગ થવા દે નહિ. (૩) એને અભ્યાસ અવિશ્રાન્ત ચાલુ રાઅો. (૪) એમાં કદી પણ કંટાળો આવવા નહિં (૫) એનું ખરું જોડાણ મન સાથે કરવાનું છે. તે લક્ષ્યમાં રાખવું. (૬) ચિત્તપ્રસન્નતામાં એનું ખરું ફળ છે એ વિચારવું.
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy