SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પાણી વલેાવ્યુ’. ૨૦૭ સચેતનતા ભક્ત જોઈ શકે છે. તમે એને ઘેલેા કહે કે મૂર્ખ કહેા, એની એને દરકાર નથી. એને ભિકત કર્યા વગર ભાજન ભાવે નહિ, એને જરા ઊઠતાં મેડુ થયું હાય તે માટ ક્ષેાભ લાગે અને જરા અન્ય ચીજ કે જીવનો સ્પર્શ થઈ ગયેા હાય તે અભડામણુ લાગે. એ હૃદયના રાજને મૂર્ત સ્વરૂપે જીવતાં જોઈ શકે છે, એ એની સાથે વાત કરી શકે છે, એ એની સાથે એકતા સાધી શકે છે અને એના સહચાગનું સુખ અને વિયેાગનું દુ:ખ અનુભવી શકે છે. એ પ્રકારની ભક્તિનો આદર્શ સ્થાને સ્થાને ગવાયા છે. એમાં આત્મનિમજ્જન જે વિશિષ્ટતા અનુભવે છે તે ખરેખર વાચાને અગેાચર છે. આવા ભાવ આખા જીવનમાં એક પણ વખત આવે તે અનેક વખતના કરેલા દ્રવ્યપૂજનનું સા કય છે. ત્યારે અત્યાર સુધી સંસારમાં શું કર્યું? ઘણું કર્યું`, ખાધુ’, પીધુ’, ધન પાછળ દોડયા, ઉજાગરા ક્યા, ખુશામતા કરી, આંટા ખાધા, ધકેલા ખાધા, મહેલાતા ખાંધી, નામાં માંડયાં, સરવૈયાં કાઢયાં, વરઘેાડામાં મહાલ્યા, પોક મૂકીને રડયા, મજૂરી કરી, ભૂખ્યા રહ્યા, અનેક વાતા કરી, પણ પાછા આગળ પાછળ ગણત્રી કરી સરવાળા કરીએ ત્યાં વાતમાં કઈ સાર નહિ. માદખાકી કરીએ ત્યાં મુઝાઈ જઈએ અને લાગે કે કાં તા હતા ત્યાં ને ત્યાં, અને કાં તે પાછળ હઢયા, પેાતાનુ જીવન આખુ જોઈ જઇએ ત્યાં ખરેખર લાગી આવે કે આ તા વર્ષા ગુમાવ્યાં, અવસર જવા દીધા, સમય એળે ગુમાવ્યે અને કાંઇ વળ્યું નહિ. માટે ભાગે જીવનપથ પર પાછી નજર કરતાં લાગે કે આ તા ન મળ્યા
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy