SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિરીક્ષણ પ્રથમ પગથિયું છે. જ્યારે ચાદ નિયમ ધારવામાં સહેલાઈ આવે ત્યારે પછી પ્રાણીને પિતાને માટે વિચાર કરવાની ટેવ પડે છે. દરેક પ્રાણુની ખાસ ફરજ છે કે અમૂક ગુણ દોષ પ્રાપ્ત કરી બેસી રહેવું નહિ, પરંતુ તેને વિશેષપણે મેળવવાસવાશે મેળવવા યત્ન કરે. આ નિયમ ધ્યાનમાં રાખી આત્મવિચારણા કરનારે પણ વધારે કર્યા કરે જોઈએ. આ વિચારે કઈ પધ્ધતિથી થાય તેના એક બે દાખલાઓ અહીં બતાવ્યા છે. જો કે ભેદજ્ઞાન થયા પછી આવી પ્રેરણાની જરૂર બહુ ઓછી રહે છે. પ્રથમ એક નોટ બાંધી તેમાં પિતે ધારવા યોગ્ય નિયમ (Principles)લખવા, તે લખીને તેને આપણે ઈચ્છા પ્રમાણે ગોઠવવા. આ પ્રકારની મર્યાદા બાંધવાની જરૂર છે. મહેની વાત અથવા યાદશક્તિ પર આધાર રાખવાને બદલે લખી લેવાથી બીજા ઘણું ફાયદા છે, જે તે બાબતના અનુભવી તરત જાણી શકે છે. આવા પ્રકારના વિચારનાં પરિ ણામેને સંગ્રહ કર્યા પછી બેમાંથી એક કમ લેવાને છે એક કમ એવા પ્રકાર છે કે નોટમાં લખેલા પ્રથમ સદ્ગણને પકડ, તેના પર પંદર દિવસ સુધી ખૂબ વિચાર કરવો, વિચાર કરી તેના સંબંધમાં જે જે નવા વિચારેને આવિર્ભાવ થાય તે લખી લેવા. વળી રાતના એક કલાક વિચારણા કરવી, કે પાળવાના સગુણમાં આજના દિવસમાં આટલી ભૂલે આવી, આવી ભૂલો થવાનાં કારણે શું હતાં ? તેમ થવામાં પિતાની અસાવધતા કેટલી હતી ? આવી આવી તેને લગતી સર્વ હકીક્ત ધ્યાનમાં લઈ તેવાં કારણો આવતાં કેમ અટકે તે પર વિચાર કરે તેવા સંજોગેથી દૂર રહેવા
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy